પાટણ, 18 જૂન (હિ.સ.) : 1લી જૂનથી પાટણની જાણીતી જનતા હોસ્પિટલમાં આંખનો વિભાગ ફરી શરૂ કરવામાં આવ્યો છે. અહીં ડો. આયુષી સાહિલભાઈ અગ્રવાલ (એમ.એસ. ઓપ્થેલ્મોલોજી) ફુલ ટાઈમ આંખના નિષ્ણાત સર્જન તરીકે સેવાઓ આપશે. તેઓએ નડિયાદની પ્રસિદ્ધ સંતરામ હોસ્પિટલમાં બે વર્ષ સુધી સેવા આપી છે અને દરમિયાન 1500થી વધુ સફળ મોતિયાના ઓપરેશન કર્યા છે.
આ વિભાગમાં આંખની તમામ તપાસ અને સારવાર માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ચશ્માની તપાસ અદ્યતન મશીનથી કરવામાં આવશે અને ફેકો મશીન દ્વારા ટાંકા વગરના મોતિયાના ઓપરેશન રાહત દરે કરવામાં આવશે. ઉપરાંત ઓપરેશન બાદ છારી ઉતારવાની વ્યવસ્થાનું પણ સંચાલન કરવામાં આવશે.
પાટણ તબીબી નગરી તરીકે પ્રસિદ્ધ છે, જ્યાં કચ્છ, બનાસકાંઠા તથા રાજસ્થાનના છેવાડાના વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. જનતા હોસ્પિટલ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ખૂબજ ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર