ગીર સોમનાથ મંગળવારે મૃતકનાં પુત્ર-પુત્રી તથા વિશાળ સંખ્યામાં સગા-સબંઘીઓની હાજરીમાં અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર કરાયાં
ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ટેકઓફ થયાની 2 મિનિટમાં ગુરુવારે બપોરે 1:40 કલાકે મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. આ પ્લેનમાં ગી
અંતિમ સંસ્કાર કરાયાં


ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ટેકઓફ થયાની 2 મિનિટમાં ગુરુવારે બપોરે 1:40 કલાકે મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા.

આ પ્લેનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ-૫ પેસેન્જર હતા.જે પૈકી ૩(ત્રણ) પેસેન્જર ગીર ગઢડા તાલુકાના હતા.આ ત્રણ મૃતકો પૈકી મોટા સમઢીયાળા ગામનાં (૧) રવજીભાઇ શંભુભાઇ ચોવટીયા તથા (ર) શારદાબેન રવજીભાઇ ચોવટીયાનું અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં દુઃખદ અવસાન થયાં છે.

જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મૃતકોની બોડી લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે પ્રાંત અધિકારી,ઉનાને નોડલ અને મામલતદાર ગીર ગઢડાને સહ નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મૃતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે બે ડોક્ટર તથા એક નાયબ મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી.

આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવેલ જેમાં આજરોજ બંને મૃતકોનાં DNA મેચ થતાં મૃતકના પરિવારને તા.૧૭/૬/૨૦૨૫ના રોજ બપોરનાં બોડી સુપરત કરવામાં આવી હતી.જેની મૃતકની પુત્ર-પુત્રી તથા સગા-સબંધી તથા ૫રિવાર દ્વારા નકકી થયા મુજબ અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર કરાયાં હતાં.

મૃતકનાં પુત્ર-પુત્રી, ૫રીવારનાં સભ્યો તથા સગા-સબંધીઓ મોટી સંખ્યામાં હાજર હતા. તેમજ ગીર ગઢડાની ટીમનાં સભ્યો ૫ણ દિવંગતની અંતિમ યાત્રામાં જોડાઈ અને તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને દુઃખની આ પળોમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande