ગીર સોમનાથ, 18 જૂન (હિ.સ.) પ્રાચી તીર્થ કોળી સમાજ ભવન ખાતે સદગુરુ નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈધ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના માં દિગ્વંત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના જાની સાહેબે 105 દર્દી તપાસ ને 35 દર્દીને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા ડો.રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબ પ્રાચી 40 દર્દી તપાસીને વિનામૂલ્ય દવા આપવામાં આવી હતી. હાર્ડવૈધ હમીરભાઇએ 30 દર્દીઓને 20 જડીબુટ્ટીઓ યુક્ત પ્રખર માલિશ તેલ થી હાથ પગ સાંધાના કમરના મસાજ કરી આપવામાં આવેલ હતા. કેમ્પ ના દાતા ડો.રોહિતભાઈ પટેલ દ્વારા સૌના માટે ચા પાણી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી, જેમાં રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ તથા શ્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનોએ જહેમત ઉઠાવી હતી તેવું આ કેમ્પ ના આયોજક જાદવભાઈ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ