પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણના હાંસાપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયા દ્વારા મળેલા માનસિક ત્રાસ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પીડિતાનું કહેવું છે કે સાસરિયાઓએ રસોઈ અને ઘરકામ ન આવડવાનું બહાનું કાઢીને તેને સતત અપમાનિત કરી હતી. તેઓ કહેતા કે તેની પરવરિશ યોગ્ય રીતે થઈ નથી અને તેના માતા-પિતાએ તેને કશું શીખવ્યું નથી. તેણે ઘરની વહુ બનવા જેવી લાયકાત નથી એવી ટિપ્પણીઓ કરવામાં આવતી.
એક પ્રસંગ દરમિયાન જ્યારે પીડિતા કોઈ શ્રીમંત પરિવારના ઇવેન્ટમાં આમંત્રણ વિના પહોંચી હતી, ત્યારે તેને જાહેરમાં પ્રસંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. પોલીસ ફરિયાદના આધારે હવે પતિ સહિત પાંચ સાસરિયા સામે કેસ નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર