જૂનાગઢ 18 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા જળવાઈ રહે, તે હેતુસર સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં. કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં. કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં, ચાર કે તેથી વધુ વ્યકતિઓએ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં, સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી, કચરો કરવો નહીં તે અંગેનું મનાઇ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલને મળેલી સત્તાની રૂએ પ્રસિદ્ધ કરેલ છે જે તાત્કાલીક અસર થી તા. ૧૪-૦૮-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS 2023, કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ