નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક એક્સ પોસ્ટમાં કહ્યું, મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મોતથી, હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.
બીજી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે પુણે જિલ્લાના જેજુરી-મોરગાંવ રોડ પર સેડાન અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં આઠ લોકોના મોત થયા હતા અને બે બાળકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ