પ્રધાનમંત્રી મોદી ત્રણ દેશોની સફળ મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની ત્રણ દેશોની મુલાકાત પૂર્ણ કરીને ગુરુવારે સ્વદેશ પરત ફર્યા. આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા, દ્વિપક્ષીય સંબંધોને એક નવું પરિમાણ આપવા અને વૈશ્વિક મંચ પ
પ્રધાનમંત્રી મોદી, ત્રણ દેશોની મુલાકાત પૂર્ણ કરીને ગુરુવારે સ્વદેશ પરત ફર્યા


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની ત્રણ દેશોની મુલાકાત પૂર્ણ કરીને ગુરુવારે સ્વદેશ પરત ફર્યા. આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા, દ્વિપક્ષીય સંબંધોને એક નવું પરિમાણ આપવા અને વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે દિલ્હી એરપોર્ટ પર મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને ભાજપના કાર્યકરો હાજર હતા. મુલાકાતના પહેલા ભાગમાં, પ્રધાનમંત્રી મોદી સાયપ્રસ પહોંચ્યા, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટો્ડેલિડ્સને મળ્યા. બંને દેશો ઊર્જા, આઇટી અને રોકાણના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંમત થયા. ભારત અને સાયપ્રસ વચ્ચે બેવડા કરવેરા ટાળવા સહિત ત્રણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

કેનેડા મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીને મળ્યા અને પરસ્પર વેપાર, શિક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદીએ ટોરોન્ટોમાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, ભારતની પ્રગતિમાં એનઆરઆઈ ની ભૂમિકા મહત્વપૂર્ણ છે. કેનેડા સાથે સંશોધન અને પર્યાવરણીય સંરક્ષણ સંબંધિત કરારોને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.

મુલાકાતના છેલ્લા તબક્કામાં, પ્રધાનમંત્રી ક્રોએશિયા પહોંચ્યા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ઝોરાન મિલાનોવિચ અને પ્રધાનમંત્રી આન્દ્રે પ્લેન્કોવિચ સાથે વાતચીત કરી. આ દરમિયાન યોગ, આયુર્વેદ અને પર્યટનને પ્રોત્સાહન આપવાની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગની શક્યતાઓ પર વિચારણા કરવામાં આવી. પ્રધાનમંત્રીની આ મુલાકાત એવા સમયે આવી છે, જ્યારે ભારત વિશ્વ મંચ પર પોતાનું મજબૂત સ્થાન સ્થાપિત કરી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, આ મુલાકાત ભારતની 'એક્ટ ઇસ્ટ' અને 'લિંક વેસ્ટ' નીતિને સંતુલિત રીતે આગળ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande