ભારત-ઓમાન વેપાર કરાર અંગે, ટૂંક સમયમાં સારા સમાચાર આવશે: પીયૂષ ગોયલ
નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) ફ્રાન્સની મુલાકાતે રહેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, સોમવારે પેરિસમાં ટોટલ એનર્જીના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) પેટ્રિક પૌયને મળ્યા. આ દરમિયાન, પેટ્રિક પૌયને
ભારત-ઓમાન વેપાર કરાર અંગે, ટૂંક સમયમાં સારા સમાચાર આવશે: પીયૂષ ગોયલ


નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) ફ્રાન્સની મુલાકાતે રહેલા કેન્દ્રીય વાણિજ્ય

અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, સોમવારે પેરિસમાં ટોટલ એનર્જીના ચેરમેન અને મુખ્ય

કાર્યકારી અધિકારી (સીઈઓ)

પેટ્રિક પૌયને મળ્યા.

આ દરમિયાન, પેટ્રિક પૌયનેએ,

ભારત માટે કંપનીની રોકાણ યોજનાઓ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ઊંડા સહયોગ

માટેની તકો અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે,” ભારત અને ઓમાન વચ્ચે પ્રસ્તાવિત

મુક્ત વેપાર કરાર (એફટીએ)

માટે વાટાઘાટો

આગળ વધી રહી છે. આ અંગે કેટલાક સારા સમાચાર 'ખૂબ જ ટૂંક સમયમાં' આવી શકે છે.”

કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ સીઈઓ પેટ્રિક પૌયને

સાથેની મુલાકાત દરમિયાન ભારત માટે કંપનીની રોકાણ યોજનાઓ અને નવીનીકરણીય ઉર્જા

ક્ષેત્રમાં, ઊંડા સહયોગ માટેની તકો અંગે ચર્ચા કરી. તેઓ 3 જૂને વર્લ્ડ

ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ) ની મીની-મિનિસ્ટરિયલ મીટિંગમાં પણ હાજરી આપશે. આ પછી, ગોયલે પત્રકારોને

કહ્યું, મને લાગે છે કે,

તમને ઓમાન એફટીએ પર ખૂબ જ ટૂંક

સમયમાં સારા સમાચાર સાંભળવા મળશે.”

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી વેપાર અને રોકાણને વેગ આપવા માટે,

ફ્રેન્ચ નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાટાઘાટો કરવા માટે અહીં સત્તાવાર મુલાકાતે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં ગોયલની મસ્કતની મુલાકાત પછી વાટાઘાટોને ખૂબ જ જરૂરી વેગ

મળ્યો.

તેમણે કહ્યું કે,”ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) દેશોમાં ઓમાન

ભારત માટે ત્રીજું સૌથી મોટું નિકાસ સ્થળ છે. ભારતનો પહેલાથી જ જીસીસી સભ્ય યુએઈ સાથે સમાન કરાર

છે, જે મે 2022 માં અમલમાં

આવ્યો હતો. આ કરાર માટે વાટાઘાટો, જેને સત્તાવાર રીતે કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ

એગ્રીમેન્ટ (સીઇપી) તરીકે નામ

આપવામાં આવ્યું છે, તે ઔપચારિક રીતે

નવેમ્બર 2023 માં શરૂ થઈ હતી.”

તેમણે કહ્યું, આ કરારો બંને

પક્ષો માટે બજારો ખોલવા તરફ છે, જે બધી પ્રક્રિયાઓમાં સ્પર્ધાત્મકતા, ઉત્પાદકતા અને

કાર્યક્ષમતામાં વધારો કરશે. વાણિજ્ય મંત્રીએ કહ્યું કે,” બજેટમાં જાહેર

કરાયેલ રાષ્ટ્રીય ઉત્પાદન મિશન ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande