પેરાગ્વેના રાષ્ટ્રપતિ નવી દિલ્હી પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનર અપાયું
નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પલાસિઓસ, આજે ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. રાજધાનીના પાલમ એરફોર્સ સ્ટેશન પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયા
પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પલાસિઓસ


નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પલાસિઓસ, આજે ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. રાજધાનીના પાલમ એરફોર્સ સ્ટેશન પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પલાસિઓસ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા થવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ પેના, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળશે.

પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર, પેરાગ્વેના રાષ્ટ્રપતિ ભારતની ત્રણ દિવસની રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી પ્રતિનિધિઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ પેનાની ભારતની આ પહેલી મુલાકાત છે અને પેરાગ્વેના કોઈપણ રાષ્ટ્રપતિની અત્યાર સુધીની બીજી મુલાકાત છે.

રાષ્ટ્રપતિ પેના, બુધવારે પેરાગ્વે પરત ફરતા પહેલા મુંબઈની પણ મુલાકાત લેશે. મુંબઈમાં, રાષ્ટ્રપતિ પેના, રાજ્યના રાજકીય નેતાઓ, વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ટેકનિકલ નિષ્ણાતોને મળશે. ભારત અને પેરાગ્વે વચ્ચે રાજદ્વારી સંબંધો 1961 માં સ્થાપિત થયા હતા. દાયકાઓથી, બંને દેશોએ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. બંને દેશોએ વેપાર, કૃષિ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ અને માહિતી ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વિકસાવ્યો છે. પેરાગ્વે, લેટિન અમેરિકન ક્ષેત્રમાં ભારતનો એક મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande