સિક્કિમમાં આર્મી કેમ્પ પર ભૂસ્ખલનથી,ત્રણ સૈનિકો માર્યા ગયા, છ સૈનિક ગુમ
કલકતા,નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) સિક્કિમમાં ભારતીય આર્મી કેમ્પ પર ભૂસ્ખલન થયું છે, જેમાં ત્રણ સૈનિકોના મોત થયા છે. ભૂસ્ખલન બાદ છ અન્ય સૈનિક હજુ પણ ગુમ છે. સેનાએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સંરક્ષણ મંત્
સેના


કલકતા,નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.)

સિક્કિમમાં ભારતીય આર્મી કેમ્પ પર ભૂસ્ખલન થયું છે, જેમાં ત્રણ સૈનિકોના મોત થયા છે. ભૂસ્ખલન બાદ છ

અન્ય સૈનિક હજુ પણ ગુમ છે. સેનાએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી

છે.

સંરક્ષણ મંત્રાલયના પૂર્વીય કમાન્ડના પ્રવક્તા વિંગ કમાન્ડર

હિમાંશુ તિવારીએ સોમવારે બપોરે માહિતી આપી હતી કે,” ભારે વરસાદને કારણે રવિવારે

રાત્રે લગભગ 7 વાગ્યે લાચેન

જિલ્લાના ચેટન ખાતે, ભારતીય આર્મી કેમ્પ પર વિનાશક ભૂસ્ખલન થયું હતું, જેમાં ત્રણ

સૈનિકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ચાર સૈનિકોને સામાન્ય ઇજાઓ સાથે, સુરક્ષિત

રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જે ત્રણ સૈનિકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમાં

હવાલદાર લખવિંદર સિંહ, લાન્સ નાયક મનીષ

ઠાકુર અને એક પોર્ટર અભિષેક લખડાનો સમાવેશ થાય છે.”

અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશ અને ખરાબ હવામાનના પડકારો છતાં,

સેનાની રાહત ટીમો સતત શોધખોળ કામગીરી ચલાવી રહી છે.જેથી છ ગુમ થયેલા

કર્મચારીઓને, શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અકસ્માત સ્થળે દિવસ-રાત કામગીરી ચાલુ

છે. ભારતીય સેનાએ આ અકસ્માતમાં, જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે અને

શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સેનાએ કહ્યું છે કે,” આ

દુઃખની ઘડીમાં અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.”

સેનાએ કહ્યું કે,” આ સંકટની ઘડીમાં, તે તેના દરેક

સૈનિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને

કુદરતી આફત છતાં, તેમની હિંમત અને

સમર્પણ અટલ રહે છે.”

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande