મહારાષ્ટ્ર એટીએસ એ, થાણે જિલ્લાના બોરીવલી ગામ અને પડઘામાં દરોડા પાડ્યા, 8 લોકોની અટકાયત કરી
મુંબઈ, નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.) મહારાષ્ટ્ર એટીએસ(મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી) એ સોમવારે સવારે થાણે જિલ્લાના ભિવંડી શહેરના બોરીવલી ગામ અને પડઘામાં, આતંકવાદ સંબંધિત કેસમાં દરોડા પાડ્યા હતા. હાલમાં, અહીં દરોડા પાડવામાં આ
એટીએસ


મુંબઈ, નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.)

મહારાષ્ટ્ર એટીએસ(મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી) એ સોમવારે

સવારે થાણે જિલ્લાના ભિવંડી શહેરના બોરીવલી ગામ અને પડઘામાં, આતંકવાદ સંબંધિત

કેસમાં દરોડા પાડ્યા હતા. હાલમાં, અહીં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી

રહ્યું છે કે,” લગભગ આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે.” એટીએસએ આ કેસ વિશે

સત્તાવાર માહિતી આપી નથી,

પરંતુ એવું જાણવા

મળ્યું છે કે, એટીએસને સ્થળ પરથી આતંકવાદ સંબંધિત ડિજિટલ પુરાવા મળ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, “મહારાષ્ટ્ર એટીએસ

ને ભિવંડી શહેરના બોરીવલી ગામ અને પડઘા વિસ્તારમાં આતંકવાદના શંકાસ્પદ લોકોના

ઇનપુટ મળ્યા હતા. આ કારણે,

એટીએસટીમે આજે સવારે 5 વાગ્યાથી અહીં

એક સાથે અનેક ઘરોમાં દરોડા પાડવાનું શરૂ કર્યું છે. દરોડા દરમિયાન, એટીએસ સાથે ચારસોથી વધુ

પોલીસકર્મીઓ પણ હાજર છે.જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ દરોડા દરમિયાન, એટીએસએ 2003 ના મુંબઈ બોમ્બ

વિસ્ફોટ કેસના દોષિત અને સીમી(સ્ટુડન્ટ્સ

ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા) ના ભૂતપૂર્વ અધિકારી સાકિબ નાચનના ઘરની પણ તપાસ

કરી.“

એટીએસને શંકા છે કે,” 2017 માં શિક્ષણ પૂર્ણ કર્યા પછી સાકિબ નાચન, ફરીથી આતંકવાદી

પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. 2003 માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં ઘણા નિર્દોષ નાગરિકો

માર્યા ગયા હતા. આ ઘટનાઓએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો.”

સાકિબ નાચન પર આ વિસ્ફોટોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો

આરોપ હતો. હવે એવું માનવામાં આવે છે કે, “એટીએસએ ફરીથી તેની

શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે આ કાર્યવાહી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે,

દરોડા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે.”

નોંધનીય છે કે, પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ

ઇન્ડિયા (સીમી) ના અધિકારી

સાકિબને પહેલાથી જ 2 આતંકવાદી

કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આમાં 2002-2003 માં મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન વિલે પાર્લે

અને મુલુંડ બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે. આ આતંકવાદી ઘટનાઓમાં ઘણા લોકોએ જીવ

ગુમાવ્યા હતા. 2017 માં સજા પૂર્ણ

કર્યા પછી તેમના પર ફરીથી કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande