ગંગટોક, નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.)
ઉત્તર સિક્કિમમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ સોમવાર સવારથી શરૂ થઈ ગયું
છે. 29 મેની રાત્રે
ભારે વરસાદને કારણે, ઉત્તર સિક્કિમને જોડતા મુખ્ય માર્ગ પર વિવિધ સ્થળોએ ભૂસ્ખલન
થયું હતું, જેના કારણે
વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. ટ્રાફિક બંધ થવાને કારણે, ઉત્તર સિક્કિમમાં વિવિધ
સ્થળોએ ફરવા ગયેલા હજારો પ્રવાસીઓ ફસાયા હતા.
મંગન જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વ હેઠળ પોલીસ, સેના, બીઆરઓ, આઇટીબીપી, વન વિભાગ, પ્રવાસન
હિસ્સેદાર સંગઠન અને ડ્રાઇવર સંગઠનોની સંયુક્ત પહેલ પર સોમવારે સવારે, લગભગ 8 વાગ્યે ફસાયેલા
પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ શરૂ થયું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ અનંત જૈને પોતે
પ્રવાસી વાહનોના કાફલાનું નેતૃત્વ કર્યું હતું. 1,678 પ્રવાસીઓને લઈને, કુલ 284 વાહનો રવાના થયા
છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે ફસાયેલા પ્રવાસીઓને, બહાર કાઢવાની
પ્રક્રિયામાં સામેલ તમામ લોકોના પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે,”
લાચુંગમાં ફસાયેલા પ્રવાસીઓને આજે લાચુંગ-ચુંગથાંગ-સિપગ્યેર અને ફિદાંગ થઈને,
ગંગટોક મોકલવામાં આવશે.” તેમણે કહ્યું કે,” લાચેનમાં રોડ કનેક્ટિવિટી ફરીથી
સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રોડ કનેક્ટિવિટી સ્થાપિત થયા પછી, લાચેનમાં ફસાયેલા
પ્રવાસીઓને પણ બહાર કાઢવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ