ઉધમપુર (જમ્મુ અને કાશ્મીર), નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પાકિસ્તાનને ભારતીય ભૂમિ પર કોઈપણ આતંકવાદી હુમલા માટે ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. ભારત આ ધમકી સામે કોઈપણ કાર્યવાહી કરવા તૈયાર છે.
સંરક્ષણ પ્રધાન સિંહે, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અહીં ઉત્તરી કમાન્ડના સૈનિકોને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનને આ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી સંદેશ મળ્યો છે કે, ભારત સામે પાકિસ્તાનની 'હજાર કટ' નીતિ સફળ થઈ શકશે નહીં. આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે હાજર રાજનાથ સિંહે કહ્યું કે, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. આ ઓપરેશન દ્વારા અમે પાકિસ્તાનને કહ્યું છે કે, ભારત સામે ચાલી રહેલા આતંકવાદને સહન કરવામાં આવશે નહીં. તેનો જવાબ ખરાબથી ખરાબ તરફ જશે.
સંરક્ષણ પ્રધાન સિંહે કહ્યું કે, ઓપરેશન સિંદૂર 2016 ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019 ની એર સ્ટ્રાઈક (સીમા પાર) નું કુદરતી પરિણામ હતું. તેમણે કહ્યું કે, ભારતીય ભૂમિ પર કોઈપણ આતંકવાદી હુમલો પાકિસ્તાન માટે વિનાશક સાબિત થશે. ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર છે.
નોંધનીય છે કે, ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલો 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો હતો. પહેલગામમાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ