નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.)
ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાતમાં ઘટાડો થયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2૦25-26 માં અત્યાર સુધી ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત
રૂ. 4.59 લાખ કરોડ થઈ છે.
આ અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતાં 1.39 ટકા ઓછી છે, કારણ કે એડવાન્સ ટેક્સ વસૂલાત ધીમી રહી છે. જોકે, ચાલુ નાણાકીય
વર્ષમાં અત્યાર સુધી કુલ પ્રત્યક્ષ કર વસૂલાત રૂ. 5.45 લાખ કરોડ થઈ છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની
તુલનામાં 4.86 ટકાનો વધારો
દર્શાવે છે.
આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું હતું કે,” ચાલુ નાણાકીય વર્ષ 2૦25-26 માટે ભારતનો કુલ પ્રત્યક્ષ કર વસૂલાત 19 જૂન સુધીમાં 4.86 ટકા વધીને રૂ. 5.45 લાખ કરોડ થઈ ગયો છે, જ્યારે પાછલા
નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 5.19 લાખ કરોડ વસૂલવામાં આવ્યા હતા. 1 એપ્રિલથી 19 જૂન, 2૦25 દરમિયાન એડવાન્સ ટેક્સ કલેક્શન માત્ર ૩.67 ટકા વધીને રૂ. 1.56 લાખ કરોડ થયું છે. નાણાકીય વર્ષ 2૦24-25 ના સમાન સમયગાળામાં એડવાન્સ ટેક્સ કલેક્શનમાં
વાર્ષિક 27 ટકાનો વધારો નોંધાયો હતો.”
વિભાગે જણાવ્યું હતું કે,”1 એપ્રિલથી 19 જૂન, 1025 દરમિયાન
કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં આશરે રૂ. 1.73 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો, જે પાછલા નાણાકીય
વર્ષની સરખામણીમાં 5 ટકાથી વધુનો
ઘટાડો દર્શાવે છે. જોકે, નોન-કોર્પોરેટ
ટેક્સ કલેક્શન, જેમાં મુખ્યત્વે
વ્યક્તિગત આવકવેરોનો સમાવેશ થાય છે, તેમાં ૦.7 ટકાનો નજીવો
વધારો થયો હતો અને તે રૂ. 2.73 લાખ કરોડ થયો હતો. આ સમયગાળા દરમિયાન
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) 12 ટકા વધીને રૂ. 13,૦13 કરોડ થયો હતો.”
એકંદરે, 01 એપ્રિલથી 19 જૂન, 2025 દરમિયાન ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત લગભગ રૂ. 4.59 લાખ કરોડ હતી, જે 2024 ના સમાન
સમયગાળામાં એકત્રિત કરાયેલા રૂ. 4.65 લાખ કરોડ કરતા 1.39 ટકા ઓછી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં અત્યાર સુધી
જારી કરાયેલ રિફંડની રકમ 58 ટકા વધીને રૂ. 86,385 કરોડ થઈ ગઈ છે.
નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રત્યક્ષ
કર (ડીટી) વસૂલાત અને
એડવાન્સ કર વસૂલાતનો ડેટા 19 જૂન સુધી જાહેર
કરવામાં આવ્યો છે.
આ આંકડા આવકવેરા વિભાગની રાષ્ટ્રીય વેબસાઇટની લિંક https://incometaxindia.gov.in/Lists/Latest%20News/Attachments/723/Direct-Tax-Collections-for-FY-2025-26-as-on-19-06-2025.pdf
પર ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ