નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) લાંબા સમયથી, બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સિતારે જમીન પર' વિશે ખૂબ ચર્ચા હતી અને હવે આખરે આ ફિલ્મ 20 જૂને, સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. એક તરફ જ્યાં વિવેચકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે, ત્યાં આમિર ખાને પણ હંમેશાની જેમ પોતાના જોરદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. 'સિતારે જમીન પર'એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું.
સૈક્નીકના જણાવ્યા અનુસાર, બીજા દિવસે, ફિલ્મે પહેલા દિવસ કરતા બમણી કમાણી કરી. તેણે 21.50 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે અને આ સાથે ભારતમાં ફિલ્મનો કુલ વ્યવસાય 32.20 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ જ ફિલ્મે પહેલા દિવસે 10.7 કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર પોતાનું ખાતું ખોલ્યું હતું.
'સિતારે જમીન પર'માં, આમિર ખાન પહેલીવાર જેનેલિયા ડિસોઝા સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળે છે. આ જોડીને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ ડાઉન સિન્ડ્રોમ જેવા સંવેદનશીલ વિષય પર આધારિત છે અને તેનું કથાવસ્તુ પ્રખ્યાત ફ્રેન્ચ ફિલ્મ 'ચેમ્પિયન્સ' થી પ્રેરિત છે. દિગ્દર્શનની જવાબદારી આર.એસ. પ્રસન્ના દ્વારા લેવામાં આવી છે, જેમણે અગાઉ સામાજિક મુદ્દાઓને હળવાશથી રજૂ કરવામાં નિપુણતા બતાવી છે. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન અને તેમની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું છે, જે આ સહયોગને ફરી એકવાર સકારાત્મક ઉદાહરણ બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ