અમેરિકાએ ઈરાની પરમાણુ કેન્દ્રો પર બોમ્બ ફેંક્યા, ટ્રમ્પે કહ્યું- ઈરાને હવે શાંતિ સ્થાપિત કરવી જોઈએ
વોશિંગ્ટન, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) અમેરિકા પણ ઈઝરાયલ અને ઈરાન લશ્કરી સંઘર્ષમાં ઉતરી ગયું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો ફોર્ડો, નતાન્ઝ અને એસ્ફહાન પર હુમલો કરીને નાશ કરવાનો દાવો કર્યો છે. આ હુમલો ભારતીય સમય મુજબ
ટ્રમ્પ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.)

અમેરિકા પણ ઈઝરાયલ અને ઈરાન લશ્કરી સંઘર્ષમાં ઉતરી ગયું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ

પરમાણુ સ્થળો ફોર્ડો, નતાન્ઝ અને

એસ્ફહાન પર હુમલો કરીને નાશ કરવાનો દાવો કર્યો છે. આ હુમલો ભારતીય સમય મુજબ

રવિવારે સવારે 4:30 વાગ્યે થયો હતો.

આ લશ્કરી કાર્યવાહી અંગે રાષ્ટ્રને સંબોધતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે

કહ્યું હતું કે,” ઈરાને હવે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. જો તેઓ આમ નહીં કરે, તો ભવિષ્યમાં

હુમલા ઘણા મોટા થશે.”

ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્સપોસ્ટમાં ઈરાન

વિરુદ્ધ અમેરિકન લશ્કરી કાર્યવાહી વિશે માહિતી આપતા લખ્યું હતું કે,” ઈરાનના જે

ત્રણ પરમાણુ સ્થળોને અમેરિકાએ નિશાન બનાવ્યા છે તે ફોર્ડો, નતાન્ઝ અને

એસ્ફહાનમાં છે.” ટ્રમ્પે લખ્યું હતું કે, “`અમે આ સ્થળો પર એક સાથે ઘણા બોમ્બ ફેંક્યા છે. અમારા બધા

ફાઇટર વિમાનો સુરક્ષિત રીતે અમેરિકા પાછા ફર્યા છે. હું અમેરિકાના બહાદુર સૈનિકોને

અભિનંદન આપું છું. દુનિયામાં બીજી કોઈ સેના નથી જે આ કરી શકે.”

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોને નિશાન બનાવીને શરૂ કરાયેલા

લશ્કરી કાર્યવાહી અંગે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે,” અમેરિકાએ

ઈરાન પર મોટો હુમલો કર્યો છે.” ટ્રમ્પે કહ્યું કે,” તેમણે ખૂબ જ પ્રયાસ કર્યો કે

આવું પગલું ન ભરવું પડે, પરંતુ તેમની પાસે

કોઈ વિકલ્પ નહોતો અને હવે ઈરાને શાંતિના માર્ગે પાછા ફરવું જોઈએ. ઈરાન પાસે હજુ પણ

શાંતિના માર્ગે પાછા ફરવાનો સમય છે, તેણે આ યુદ્ધનો અંત લાવવો પડશે. જો ઈરાન બદલો લેશે, તો અમે પણ હુમલો

કરીશું. જો શાંતિ નહીં થાય,

તો વિનાશ થશે.

બધા લક્ષ્યો પર હજુ સુધી હુમલો કરવામાં આવ્યો નથી. અમે ઈરાનના પરમાણુ પ્લાન્ટને

સંપૂર્ણપણે નાશ કરીશું.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande