જસપ્રીત બુમરાહે ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ- હું મારો રસ્તો જાતે નક્કી કરું છું, લોકોની વાતો પરથી નહીં...”
લીડ્સ, નવી દિલ્હી,23 જૂન (હિ.સ.) લાંબા સમય પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર જસપ્રીત બુમરાહે લીડ્સમાં, ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ લઈને ફરી એકવાર સાબિત કર્યું કે, તે ભારતીય બોલિંગ આક્રમણનો આધાર છે. ઓસ્ટ્રેલિયામાં ઈજાગ્રસ્ત થયા બાદ બુમરાહન
બુમરાહ


લીડ્સ, નવી દિલ્હી,23 જૂન (હિ.સ.) લાંબા સમય પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર

જસપ્રીત બુમરાહે લીડ્સમાં, ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ લઈને ફરી એકવાર સાબિત કર્યું કે, તે ભારતીય બોલિંગ

આક્રમણનો આધાર છે. ઓસ્ટ્રેલિયામાં ઈજાગ્રસ્ત થયા બાદ બુમરાહના ભવિષ્ય વિશે અટકળો

ચાલી રહી હતી, પરંતુ તે રમત

છોડીને જતા જ તે જ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં પાછો ફર્યો.

લીડ્સમાં રવિવારે, ચોથા દિવસની રમત સમાપ્ત થયા પછી એક

પત્રકાર પરિષદમાં બુમરાહે કહ્યું, હું મારા પુનરાગમન વિશે ક્યારેય નર્વસ નહોતો. લોકો શું લખે

છે તેના પર, મારો કોઈ નિયંત્રણ નથી, કે હું કોઈને શીખવવા માંગતો નથી કે મારું નામ

તેમની હેડલાઇનમાં હોવું જોઈએ કે નહીં. હું જાણું છું કે ક્રિકેટ આપણા દેશમાં ખૂબ જ

લોકપ્રિય છે, અને મારું નામ

ઉમેરવાથી વ્યૂઝ વધે છે. પરંતુ આ બધું મારા માટે વાંધો નથી. જો હું આ બધી બાબતોને

મારા મન પર હાવી થવા દઈશ,

તો હું મારો

રસ્તો ખોઈ બેસું છું.

ના

સાંભળતાં-સાંભળતાં10 વર્ષ થઇ ગયા ..

બુમરાહને યાદ અપાવ્યું કે,” જ્યારે તેણે ક્રિકેટ રમવાનું

શરૂ કર્યું હતું, ત્યારે પણ લોકો

તેના વિશે શંકા વ્યક્ત કરતા હતા.”

તેણે કહ્યું, શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે, હું

ટીમમાં સ્થાન મેળવી શકીશ નહીં. પછી એવું કહેવામાં આવતું હતું કે, હું છ મહિના પણ

ટકી શકીશ નહીં. પછી આઠ મહિના... અને આ રીતે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ વિતાવ્યા.

હું 12-13 વર્ષથી આઈપીએલરમી રહ્યો છું.

હજુ પણ લોકો કહે છે કે આ ઈજા છેલ્લી હોઈ શકે છે. મને આ બધાની પરવા નથી. હું મારું

કામ કરતો રહીશ. ત્રણ-ચાર મહિનામાં એક નવી હેડલાઇન આવશે, પણ જ્યાં સુધી

મારા નસીબમાં લખેલું હશે ત્યાં સુધી હું રમતો રહીશ.

હું ફક્ત દરેક મેચમાં મારું શ્રેષ્ઠ આપવા માંગુ છું...

તાજેતરમાં થયેલી ઈજા બાદ, બુમરાહ ટેસ્ટ મેચોની પસંદગી અંગે સાવધ રહ્યો

છે. તેણે ટીમ મેનેજમેન્ટને, પહેલેથી જ જાણ કરી દીધી છે કે તે આખી શ્રેણી માટે

ઉપલબ્ધ રહેશે નહીં. કેપ્ટનશીપ છોડવાનું આ મુખ્ય કારણ હતું.

તેણે કહ્યું, મારા માટે તે મહત્વનું નથી કે, હું કેટલી મેચ

રમી રહ્યો છું. તે સમયે જ્યારે હું મેદાન પર હોઉં છું, ત્યારે મારું

સંપૂર્ણ ધ્યાન વિકેટ વાંચવા, બેટ્સમેનને સમજવા અને રણનીતિ બનાવવા પર હોય છે. હું

ભવિષ્યની ચિંતા કરીને મારા પ્રદર્શનને પ્રભાવિત કરવા માંગતો નથી. બાકીનું બધું

ટેસ્ટ મેચ પૂરી થયા પછી જોવા મળશે.

હું રાત્રે મારી

જાતને, એક પ્રશ્ન પૂછું છું...

બુમરાહએ પોતાના વિચાર વિશે એક ઊંડી વાત કહી. તેણે કહ્યું, રાત્રે હું મારી

જાતને એક પ્રશ્ન પૂછું છું - શું મેં મારું શ્રેષ્ઠ આપ્યું? જો જવાબ હા હોય, તો હું શાંતિથી

સૂઈ જાઉં છું.

ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાનો પ્રયાસ-

પોતાના નિવેદનના અંતે, બુમરાહે કહ્યું કે,” તે દરરોજ પોતાને સુધારવાનો અને ભારતીય

ક્રિકેટને આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે.”

તેમણે કહ્યું, હું ભગવાને મને આપેલા આશીર્વાદને આગળ લઈ જઈ

રહ્યો છું અને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છું.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande