ચૂંટણી પંચે, રાહુલ ગાંધીને પત્ર લખીને મુલાકાત માટે આમંત્રણ આપ્યું
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.). ચૂંટણી પંચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને, એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા તેમના લેખ અંગે પત્ર મોકલ્યો છે. પંચે કહ્યું છે કે, તેઓ મહારાષ્ટ્ર ચૂંટણી અથવા અન્ય કોઈપણ વિષય પર કમિશનને મળી શકે છે. પંચના સૂત્રો
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.). ચૂંટણી પંચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને, એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા તેમના લેખ અંગે પત્ર મોકલ્યો છે. પંચે કહ્યું છે કે, તેઓ મહારાષ્ટ્ર ચૂંટણી અથવા અન્ય કોઈપણ વિષય પર કમિશનને મળી શકે છે.

પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પત્ર 12 જૂને લખાયો હતો, જે રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળ્યો છે અને તેની એક નકલ ઈ-મેલ દ્વારા પણ મોકલવામાં આવી છે.

પત્રમાં પંચે ઉલ્લેખ કર્યો છે કે, રાહુલ ગાંધીએ 7 મેના રોજ એક લેખ લખ્યો હતો, જેમાં મહારાષ્ટ્ર ચૂંટણી સંબંધિત કેટલાક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. પંચે કહ્યું છે કે આ મુદ્દાઓનો પહેલાથી જ વિગતવાર જવાબ આપવામાં આવ્યો છે. પંચે સ્પષ્ટતા કરી છે કે, તે નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ ચૂંટણીઓ કરાવે છે, જે સંપૂર્ણપણે વિકેન્દ્રિત છે. આમાં, રાજકીય પક્ષોના એક લાખથી વધુ એજન્ટો બૂથ સ્તરે તૈનાત છે.

પંચે એમ પણ કહ્યું છે કે, અમારું માનવું છે કે ચૂંટણીના સંચાલન સંબંધિત કોઈપણ મુદ્દો કોંગ્રેસના ઉમેદવારો દ્વારા સક્ષમ અદાલતોમાં દાખલ કરેલી અરજીઓ દ્વારા પહેલાથી જ ઉઠાવવામાં આવ્યો હશે. જોકે જો તમને હજુ પણ કોઈ સમસ્યા હોય, તો તમે અમને લેખિતમાં જણાવી શકો છો. કમિશન તમને વ્યક્તિગત રીતે મળવા માટે પણ તૈયાર છે. બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અનુકૂળ તારીખ અને સમય નક્કી કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલે આ લેખમાં કમિશન પર સીધો આરોપ લગાવ્યો હતો. જોકે, તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો કમિશન દ્વારા પોઈન્ટ બાય પોઈન્ટ જવાબ આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande