ઈરાને ટ્રમ્પની એક વાત ન સાંભળી, ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા, સાયરન વાગ્યા
વોશિંગ્ટન/તેહરાન/તેલ અવીવ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) ઈઝરાયલ સાથે યુદ્ધમાં ફસાયેલા ઈરાને, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક વાત પણ ન સાંભળી. ઈરાને આજે સવારે ઈઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો, ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો કે, બંને દેશો ય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ


વોશિંગ્ટન/તેહરાન/તેલ અવીવ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) ઈઝરાયલ સાથે યુદ્ધમાં ફસાયેલા ઈરાને, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક વાત પણ ન સાંભળી. ઈરાને આજે સવારે ઈઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો, ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો કે, બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. ઈઝરાયલના ઘણા શહેરોમાં હુમલા પહેલાના સાયરન વાગી રહ્યા છે.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) એ થોડા સમય પહેલા સ્વીકાર્યું હતું કે, ઈરાને તેના પર મિસાઈલ હુમલો કર્યો છે. આ જ કારણે સાયરન વાગી રહ્યા છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત બાદ, ઈરાને ઈઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. હુમલામાં કોઈના ઘાયલ થયાના કોઈ સમાચાર નથી.

ઇરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ એક્સ પર લખ્યું કે, અત્યાર સુધી યુદ્ધવિરામ કે લશ્કરી કાર્યવાહીના અંત અંગે કોઈ સમજૂતી થઈ નથી. જો ઇઝરાયલ તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા તેના હુમલા બંધ કરે તો અમે લડાઈ બંધ કરીશું. લશ્કરી સંઘર્ષનો અંત લાવવાનો અંતિમ નિર્ણય તે પછી લેવામાં આવશે,

તેહરાન ટાઇમ્સ અનુસાર, ઇરાનના સંસદ સ્પીકરના સલાહકાર મહદી મોહમ્મદીએએક્સપર લખ્યું કે, અમેરિકા અને ઇઝરાયલ જૂઠું બોલી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે ઇરાન તણાવ વધારવા માટે પોતાનું રક્ષણ ઓછું કરે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ 13 જૂને શરૂ થયું હતું. ઈરાનીઓ વોશિંગ્ટન સાથે છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટોમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઈઝરાયલે ઈરાની રહેણાંક ઇમારતો અને પરમાણુ સ્થળો પર અભૂતપૂર્વ હુમલાઓ શરૂ કર્યા.

ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે રાત્રે કહ્યું કે, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, યુદ્ધવિરામ મંગળવારે પછી તબક્કાવાર અમલમાં આવશે. દરમિયાન, રાતોરાત લડાઈ ચાલુ રહી. ઈરાની રાજ્ય મીડિયાએ જણાવ્યું કે, તેહરાનમાં વિસ્ફોટો વચ્ચે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ નિષ્ફળ ગઈ. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, તેણે ઈરાનથી છોડવામાં આવેલા ડ્રોનને અટકાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande