સની દેઓલે, રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવવા અંગે વાત કરી
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ''રામાયણ'' અંગે દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે સાઈ પલ્લવી, માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં, ફિલ્મના સેટ પરથી કેટ
સની


નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ' અંગે દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે સાઈ પલ્લવી, માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં, ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે, જેના કારણે ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસાર, સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવતા જોવા મળશે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, સની દેઓલે આ ભૂમિકા પર ટિપ્પણી કરી હતી.

સની દેઓલે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું, હા, હું આ પાત્ર ભજવી રહ્યો છું. તે રોમાંચક અને મનોરંજક હશે. હું ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. 'રામાયણ'ના શૂટિંગ અંગે હું થોડો નર્વસ છું. મને ડર લાગે છે, જે મને હંમેશા લાગે છે. પરંતુ, તે જ તેની સુંદરતા છે. કારણ કે, તમારે તેના માટે પોતાને તૈયાર કરવી પડશે.

સની દેઓલે કહ્યું, નિર્માતાઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. કારણ કે, તેઓ પડદા પર કંઈક અલૌકિક બતાવવાની તૈયારી કરી રહ્યા છે. મને આશા છે કે, આ ફિલ્મ હોલીવુડથી ઓછી નહીં હોય. 'રામાયણ' પર ઘણા પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે. પરંતુ, જે રીતે આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે અને તેમાં જે પ્રકારના કલાકારો છે. મને ખાતરી છે કે, અમે તેનો સંપૂર્ણ ન્યાય કરવાનો પ્રયાસ કરીશું અને દર્શકોને પણ ફિલ્મ ગમશે.

તે જ સમયે, નિતેશ તિવારીની 'રામાયણ'નું બજેટ 835 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવશે. ફિલ્મનો પહેલો ભાગ 2026 માં રિલીઝ થશે. 'રામાયણ'માં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, યશ, લારા દત્તા, આદિનાથ કોઠારે જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande