નૈનીતાલ, નવી દિલ્હી,24 જૂન (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, 25 થી 27 જૂન દરમિયાન
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં ત્રણ દિવસના પ્રવાસે, આવી રહ્યા છે. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ
કુમાઉ યુનિવર્સિટીના, સુવર્ણ જયંતિ સમારોહ અને શેરવુડ કોલેજના કાર્યક્રમમાં ભાગ
લેશે. તેમના આગમનને લઈને વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો સતર્ક થઈ ગયા છે.
નૈનીતાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિવેક રાયે
જણાવ્યું હતું કે,” ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના નૈનીતાલમાં ત્રણ દિવસના રોકાણનો
કાર્યક્રમ પ્રાપ્ત થઈ ગયો છે. તેઓ 25 જૂને નૈનીતાલ પહોંચશે અને 27 જૂને પરત ફરશે. તેઓ 25 જૂને કુમાઉ
યુનિવર્સિટીના, સુવર્ણ જયંતિ સમારોહ અને 27 જૂને શેરવુડ કોલેજ ખાતે આયોજિત, કાર્યક્રમમાં ભાગ લેશે. 26 જૂને તેઓ કોઈપણ
જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાના નથી.”
કુમાઉ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. મંગલ સિંહ મંડરાવાલે
જણાવ્યું હતું કે,” 1972માં સ્થાપિત
યુનિવર્સિટીની 50મી વર્ષગાંઠ પર
આયોજિત, સુવર્ણ જયંતિ સમારોહ સવારે 11 વાગ્યે શરૂ થશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ યુનિવર્સિટીના
શિક્ષકો અને મહાનુભાવો સાથે વાતચીત કરશે. ઉત્તરાખંડના રાજ્યપાલ અને ચાન્સેલર
લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ. ધન સિંહ રાવત પણ
આ કાર્યક્રમમાં હાજર રહેશે.”
શેરવુડ કોલેજના પ્રિન્સિપાલ અમનદીપ સંધુએ જણાવ્યું હતું કે,”
ઉપરાષ્ટ્રપતિ 27 જૂને શાળાના
સ્થાપના દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.”
અહીં, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના, નૈનીતાલમાં ત્રણ દિવસના રોકાણના
કાર્યક્રમ અંગે સરકારી સ્તરે એક વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના
વરિષ્ઠ અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક
દ્વારા સુરક્ષા દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા દળો તૈનાત કરવા માટે પણ
સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિની હાજરી દરમિયાન કટોકટીની આરોગ્ય જરૂરિયાતોને
ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને, સતર્ક રહેવાની પણ સૂચના આપવામાં આવી હતી.
મુખ્ય તબીબી અધિકારી ડૉ. હરીશ ચંદ્ર પંતના જણાવ્યા અનુસાર,”ઉપરાષ્ટ્રપતિ
સાથે દરેક સમયે ત્રણ વરિષ્ઠ ડૉક્ટરોની એક ખાસ ટીમ તૈનાત રહેશે. ઉપરાંત, બીડી પાંડે
હોસ્પિટલ, ડૉ. સુશીલા
તિવારી સરકારી હોસ્પિટલ અને સોબન સિંહ જીના બેઝ હોસ્પિટલને સલામત સેવા કેન્દ્રો
જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, નૈનીતાલ રોડ પર સ્થિત એક ખાનગી હોસ્પિટલના કેથલેબના નિષ્ણાત
ડૉક્ટરો સાથે પણ સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. વિભાગીય તૈયારીઓ પૂર્ણ કર્યા
પછી, તમામ હોસ્પિટલોને
નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સૂચના આપવામાં આવી છે.”
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. નવીન ચંદ્ર જોશી / વિનોદ પોખરિયાલ
/ વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ