એક્સિઓમ મિશન-4 ઉડાન માટે તૈયાર, દેશની નજર શુભાંશુ શુક્લા પર
વોશિંગ્ટન, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.). ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. એક્સિઓમ મિશન-4 , જે આજે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી, સવારે 2:31 વાગ્યે ઈડીટી (ભારતીય સમય મુજબ બપોરે 12:01 વાગ
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા


વોશિંગ્ટન, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.). ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. એક્સિઓમ મિશન-4 , જે આજે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી, સવારે 2:31 વાગ્યે ઈડીટી (ભારતીય સમય મુજબ બપોરે 12:01 વાગ્યે) ઉડાન ભરશે, તે સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનમાં ચાર અવકાશયાત્રીઓને લઈ જશે. તેને ફાલ્કન 9 રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે ઐતિહાસિક ખાનગી અવકાશ ઉડાન એક્સિઓમ મિશન-4 આજે કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનું છે. એક્સિઓમ સ્પેસ દ્વારા આ મિશન નાસા અને સ્પેસએક્સના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ઘણા દેશોના આંતરરાષ્ટ્રીય ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ વાણિજ્યિક અને વૈશ્વિક અવકાશ સંશોધનમાં એક મોટું પગલું છે. ભારતના દૃષ્ટિકોણથી ખાસ વાત એ છે કે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પણ તેમાં રવાના થઈ રહ્યા છે. આ કોઈપણ ભારતીય અવકાશયાત્રીની આઈએસએસ માટે પ્રથમ ઉડાન હશે. આખા દેશની નજર આ પર ટકેલી છે.

સ્પેસએક્સના લાઇવ બ્રોડકાસ્ટ મુજબ, આ મિશન, જે સવારે 2:31 વાગ્યે ઉડાન ભરશે, તે સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનમાં ચાર અવકાશયાત્રીઓને લઈ જશે. તેને ફાલ્કન 9 રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવશે. આઈએસએસ સાથે ડોકીંગ 26 જૂને સવારે 7:00 વાગ્યે થવાની ધારણા છે. સ્પેસએક્સના જણાવ્યા મુજબ, લોન્ચ માટે બધી સિસ્ટમો સારી દેખાઈ રહી છે અને હવામાન 90 ટકા સુધી પ્રક્ષેપણ માટે અનુકૂળ છે.

મિશનના પાઇલટ તરીકે ઇસરોનું પ્રતિનિધિત્વ કરતા શુભાંશુ શુક્લા ક્રૂમાં હશે. તેમની સાથે નાસાના અનુભવી અવકાશયાત્રી પેગી વ્હિટસન, પોલેન્ડના ઈએસએ અવકાશયાત્રીઓ સ્લેવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીથી ટિબોર કાપુ પણ છે. ભારત, હંગેરી અને પોલેન્ડ માટે, આ મિશન લાંબા અંતરાલ પછી માનવ અવકાશ ઉડાનની વાપસી દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અવકાશમાં જનારા બીજા ભારતીય હશે. આ પહેલા 1984માં અવકાશયાત્રી રાકેશ શર્માએ અવકાશમાં મુસાફરી કરી હતી. રાકેશ શર્માએ અવકાશમાંથી કહ્યું હતું કે, સારે જહાંસે અચ્છા હિંદુસ્તા હમારા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande