બાંગ્લાદેશમાં, પાંચ મુખ્ય ધાર્મિક પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે
ઢાકા, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) બાંગ્લાદેશના પાંચ મુખ્ય ધાર્મિક પક્ષો આગામી સામાન્ય ચૂંટણીઓ સાથે મળીને લડશે. પાંચેય પક્ષો સર્વસંમતિ પર પહોંચ્યા છે. આ માટે એક સંપર્ક સમિતિ બનાવવામાં આવી છે. સમિતિમાં દરેક પક્ષના બે પ્રતિનિધિઓનો સમાવે
સત્તા


ઢાકા, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) બાંગ્લાદેશના પાંચ મુખ્ય ધાર્મિક પક્ષો આગામી

સામાન્ય ચૂંટણીઓ સાથે મળીને લડશે. પાંચેય પક્ષો સર્વસંમતિ પર પહોંચ્યા છે. આ માટે

એક સંપર્ક સમિતિ બનાવવામાં આવી છે. સમિતિમાં દરેક પક્ષના બે પ્રતિનિધિઓનો સમાવેશ

કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સર્વસંમતિ પંચની વાટાઘાટો પૂર્ણ થયા પછી, આ પાંચ કૌમી

મદરેસા આધારિત પક્ષો ફરી એકવાર ચર્ચા કરશે. આ પક્ષો ઇસ્લામિક મુવમેન્ટ બાંગ્લાદેશ, ખિલાફત મજલિસ, બાંગ્લાદેશ

ખિલાફત મજલિસ, જમિયત

ઉલેમા-એ-ઇસ્લામ અને નિઝામ-એ-ઇસ્લામ પાર્ટી છે.

ઢાકા ટ્રિબ્યુન અખબારના સમાચારના જણાવ્યા અનુસાર, “આ બધા પક્ષો

છેલ્લા ઘણા વર્ષોથી ઇસ્લામિક એકતા બનાવવાના મુદ્દા પર સતત ચર્ચા કરી રહ્યા છે. 1971માં મુક્તિ

યુદ્ધનો વિરોધ કરનાર, જમાત-એ-ઇસ્લામીને આ સંભવિત ચૂંટણી જોડાણમાં સામેલ કરવામાં

આવ્યા નથી. આ વર્ષે 23 એપ્રિલે, ઇસ્લામિક

મુવમેન્ટ બાંગ્લાદેશ કાર્યાલય ખાતે આ પાંચ ઇસ્લામિક પક્ષોની સંયુક્ત બેઠક યોજાઈ

હતી.”

આ બેઠકની અધ્યક્ષતા ઇસ્લામિક મુવમેન્ટ બાંગ્લાદેશના અમીર

મુફ્તી સૈયદ મોહમ્મદ રેઝાઉલ કરીમ ઉર્ફે ચર્મોનાઈ પીરે કરી હતી. જમિયત

ઉલેમા-એ-ઈસ્લામના મહાસચિવ મૌલાના મંજુરુલ ઈસ્લામ આફેંદીએ જણાવ્યું હતું કે,” અમે

ચૂંટણીમાં સંયુક્ત ઉમેદવારો ઉભા રાખીશું.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande