ન્યૂયોર્ક, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) જમૈકાની અનુભવી દોડવીર અને ત્રણ વખતની
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા શેલી-એન ફ્રેઝર-પ્રાઈસે જાહેરાત કરી છે કે, તે આ
અઠવાડિયે શરૂ થનારી જમૈકા રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેની કારકિર્દીની
છેલ્લી દોડ દોડશે. આ સ્પર્ધા તેની ભવ્ય અને ઐતિહાસિક કારકિર્દીનો છેલ્લો રાષ્ટ્રીય
પડાવ હશે.
38 વર્ષીય
ફ્રેઝર-પ્રાઈસે 2025 માં ટ્રેક પર
પાછા ફરવાની જાહેરાત કરી હતી, જેને તેના છેલ્લા સ્પર્ધાત્મક વર્ષ તરીકે જોવામાં આવી રહી
હતી. તેણીએ કહ્યું હતું કે,” ટ્રેક પર તેણીનું હજુ પણ અધૂરું કામ બાકી
છે.”
મંગળવારે (ભારતીય સમયાનુસાર) નાઇકી ઇવેન્ટ દરમિયાન પત્રકારો
સાથે વાત કરતા, તેણીએ કહ્યું, આ મારા માટે એક
ખાસ ક્ષણ હશે, કારણ કે હવે
ગુમાવવા માટે કંઈ નથી, પરંતુ મેળવવા
માટે બધું જ છે.
ફ્રેઝર-પ્રાઈસે 2008 અને 2012 ઓલિમ્પિકમાં સતત બે વાર 100 મીટર ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તે 10 વખતની વિશ્વ
ચેમ્પિયન છે.
આ ચેમ્પિયનશિપ આ વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે
ક્વોલિફાઇંગ ઇવેન્ટ પણ છે,
જે 13 થી 21 સપ્ટેમ્બર
દરમિયાન ટોક્યોમાં યોજાશે. જોકે, ગયા વખતે ફ્રેઝર-પ્રાઈસનું પેરિસ ઓલિમ્પિકમાં નિરાશાજનક
પ્રદર્શન રહ્યું હતું, જ્યારે તેણી વોર્મ-અપ દરમિયાન ઘાયલ થઈ ગઈ હતી અને 100 મીટર
સેમિફાઇનલમાં ભાગ લઈ શકી ન હતી.
ફ્રેઝર-પ્રાઈસનો નિર્ણય ટ્રેક અને ફિલ્ડની દુનિયા માટે એક
યુગનો અંત દર્શાવે છે, જેણે માત્ર મેડલ
જ જીત્યા નહીં પરંતુ પોતાને એક રોલ મોડેલ અને પ્રેરણા તરીકે પણ સ્થાપિત કર્યા.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ