મુકેશ અંબાણીએ, ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશવાના નિર્ણયને તેમના જીવનનું 'સૌથી મોટું જોખમ' ગણાવ્યું
નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ, 2016 માં રિલાયન્સ જિયો સાથે ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશવાના નિર્ણયને તેમના જીવનનું ''સૌથી મોટું જોખમ'' ગણાવ્યું છે. છતાં તેમણે ડિજિટલ ઇન્ડિયાના મા
આરઆઈએલ ના ચેરમેન મુકેશ અંબાણી


નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ, 2016 માં રિલાયન્સ જિયો સાથે ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશવાના નિર્ણયને તેમના જીવનનું 'સૌથી મોટું જોખમ' ગણાવ્યું છે. છતાં તેમણે ડિજિટલ ઇન્ડિયાના માળખાને મજબૂત બનાવવા માટે આ નિર્ણય લીધો હતો.

વૈશ્વિક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની 'મેકિન્સે એન્ડ કંપની' સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 4-જી મોબાઇલ નેટવર્ક શરૂ કરવામાં પોતાના અબજો ડોલરનું રોકાણ કર્યું છે. કેટલાક વિશ્લેષકોએ કહ્યું કે, તે આર્થિક રીતે સફળ ન પણ થઈ શકે, કારણ કે ભારત સૌથી અદ્યતન ડિજિટલ ટેકનોલોજી માટે તૈયાર નથી. આ પર મેં મારા ડિરેક્ટર બોર્ડને કહ્યું કે, સૌથી ખરાબ પરિસ્થિતિ એ હશે કે આપણને વધારે 'વળતર' નહીં મળે. રિલાયન્સ તરીકે, આ ભારતમાં અત્યાર સુધીનું અમારું સૌથી મોટું પરોપકારી કાર્ય હશે, કારણ કે આપણે ભારતને ડિજિટાઇઝ કરીને દેશને સંપૂર્ણપણે બદલી નાખ્યો હશે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, 2016 માં જિયોની શરૂઆત થઈ ત્યારથી, જિયો એ મફત 'વોઇસ કોલ' અને અત્યંત ઓછા ખર્ચે ડેટા પ્રદાન કરીને ભારતીય ટેલિકોમ બજારમાં ક્રાંતિ લાવી છે, જેનાથી સ્પર્ધકોને કિંમતો ઘટાડવાની ફરજ પડી છે અને દેશભરમાં ઝડપી ડિજિટલ અપનાવવાને પ્રોત્સાહન મળ્યું છે. તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે આખરે તમે આ દુનિયામાં કંઈપણ સાથે લીધા વિના આવો છો અને કંઈપણ સાથે લીધા વિના ચાલ્યા જાઓ છો. તમે જે છોડી જાઓ છો, તે એક સંસ્થા છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયોના આગમન પહેલા, ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ મોંઘુ હતું. તેના આગમનથી કિંમતોમાં વધઘટ શરૂ થઈ, જેના કારણે ડેટાનો ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો થયો. ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં રહેતા લાખો ભારતીયો માટે ઇન્ટરનેટ ઍક્સેસ સસ્તું બન્યું. ભારતમાં હવે 80 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી મોટા ઓનલાઇન બજારોમાંનું એક બનાવે છે. ઇ-કોમર્સ, નાણાકીય ટેકનોલોજી, શિક્ષણ ટેકનોલોજી અને મનોરંજન જેવી ડિજિટલ સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande