નાણામંત્રી સીતારમણે, જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીની સમીક્ષા કરી
નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે, શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વિવિધ પરિમાણો પર જાહેર ક્ષેત્રની બેંકો (પીએસયુ)ના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે બ
વિત્ત


નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે,

શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વિવિધ પરિમાણો પર જાહેર ક્ષેત્રની

બેંકો (પીએસયુ)ના પ્રદર્શનની

સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે બેઠકમાં પીએસયુ બેંકિંગ

ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરી હતી.

નાણામંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે બેઠક

યોજી હતી. નાણામંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય નાણા

રાજ્યમંત્રી પંકજ ચૌધરી, નાણાકીય સેવાઓ

વિભાગ (ડીએફએસ) ના સચિવ એમ.

નાગરાજુ અને જાહેર ક્ષેત્રની બેંકોના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને મુખ્ય

કાર્યકારી અધિકારીઓ (સીઈઓ)

તેમજ ડીએફએસના

વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.”

નોંધનીય છે કે, નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગની આ

બેઠક ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા, મુખ્ય નીતિગત ધિરાણ દર રેપો રેટમાં અપેક્ષા કરતાં

ઘણો વધુ 50 બેસિસ પોઈન્ટ (0.50 ટકા) ઘટાડો

કર્યાના થોડા અઠવાડિયા પછી થઈ છે અને નીતિગત વલણને 'અકોમોડેટિવ' થી 'ન્યુટ્રલ' કર્યું છે. તેની

નીતિ સમીક્ષામાં, આરબીઆઈએ બેંકિંગ

સિસ્ટમમાં પ્રવાહિતા વધારવા માટે તેના રોકડ અનામત ગુણોત્તર (સીઆરઆર) માં પણ ઘટાડો

કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande