વિદેશ મંત્રીએ, પોતાના ઈરાની સમકક્ષ સાથે વાત કરી
નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, શુક્રવારે તેમના ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી અને ભારતીયોના સુરક્ષિત સ્થળાંતરમાં સહયોગ બદલ તેમનો આભાર માન્યો. વિદેશ મંત્રી જયશંકરે એક્સપર આ માહિતી શેર કરત
વિદેશ


નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, શુક્રવારે તેમના

ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી અને ભારતીયોના સુરક્ષિત સ્થળાંતરમાં

સહયોગ બદલ તેમનો આભાર માન્યો.

વિદેશ મંત્રી જયશંકરે એક્સપર આ માહિતી શેર

કરતા કહ્યું કે,” વાતચીતમાં તેમને વર્તમાન જટિલ પરિસ્થિતિમાં ઈરાનના

દ્રષ્ટિકોણ અને વિચારસરણી વિશે જાણવા મળ્યું.”

ઉલ્લેખનીય છે કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તાજેતરમાં

યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. સંઘર્ષ દરમિયાન, ભારતે ત્યાં

રહેતા ઘણા ભારતીયોના સુરક્ષિત પરત ફરવાની ખાતરી આપી છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande