નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે
જણાવ્યું હતું કે,” એક મજબૂત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ઇકોસિસ્ટમ માત્ર
દેશ માટે મહત્વપૂર્ણ નથી પરંતુ તેના સતત આર્થિક વિકાસ માટે પણ જરૂરી છે.” તેઓ નવી
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ' એમએસએમઈ દિવસ 2025 - ઉદ્યોગસાહસિક ભારત' કાર્યક્રમને
સંબોધિત કરી રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ કહ્યું કે,” એમએસએમઈ દેશના અર્થતંત્રનો મજબૂત
આધારસ્તંભ છે. તેઓ જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને પાયાના સ્તરે નવીનતાને
પ્રોત્સાહન આપે છે. આ સાહસો પ્રમાણમાં ઓછા મૂડી રોકાણ સાથે વધુ રોજગારીની તકો ઊભી
કરે છે, ખાસ કરીને
ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં, જેનાથી સમાવેશી અને વિકેન્દ્રિત વિકાસ મજબૂત બને છે.”
તેમણે કહ્યું કે,” તેમાં કોઈ શંકા નથી કે, એમએસએમઈક્ષેત્ર દેશની
પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જો કે, આ ક્ષેત્ર ઘણા પડકારોનો પણ સામનો કરી રહ્યું છે, જેમાં નાણાકીય
સમસ્યાઓ, મોટી કંપનીઓ
તરફથી સ્પર્ધા, નવીનતમ
ટેકનોલોજીનો અભાવ, કાચા માલ અને
કુશળ કાર્યબળનો અભાવ, મર્યાદિત બજાર
અને ચુકવણીમાં વિલંબનો સમાવેશ થાય છે.”
તેમણે માહિતી આપી કે,” ભારત સરકારે આ પડકારોનો સામનો કરવા
માટે ઘણી નીતિગત પહેલ કરી છે. આમાં એમએસએમઈ વર્ગીકરણના ધોરણોમાં સુધારો, ધિરાણની પહોંચમાં
સુધારો, 'પીએમ વિશ્વકર્મા
યોજના' હેઠળ કારીગરોનો
કૌશલ્ય વિકાસ અને એમએસઈ પાસેથી કેન્દ્રીય મંત્રાલયો દ્વારા ઓછામાં ઓછા 35 ટકા ખરીદી જેવા
પગલાંનો સમાવેશ થાય છે. તેમને એ જાણીને આનંદ થયો કે આ પ્રયાસોથી રજિસ્ટર્ડ એમએસએમઈ ની સંખ્યામાં ખૂબ જ ઝડપી વધારો થયો છે.”
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે,” એમએસએમઈ માટે ઓનલાઇન વિવાદ
નિવારણ પોર્ટલ વિલંબિત ચુકવણીના કિસ્સામાં મહત્વપૂર્ણ સાબિત થશે.”
રાષ્ટ્રપતિએ મહિલા ઉદ્યોગસાહસિકોની વધતી ભાગીદારી પર ખુશી
વ્યક્ત કરી અને યુવા મહિલાઓને ઉદ્યોગસાહસિકતા તરફ આગળ વધવા હાકલ કરી. તેમણે ગ્રીન
ટેકનોલોજી અપનાવવા પર પણ ભાર મૂક્યો, એમ કહીને કે તે માત્ર એમએસએમઈની સ્પર્ધાત્મકતા વધારશે નહીં
પરંતુ દેશના જળવાયું લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.
આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ 'ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ
એન્ટરપ્રાઇઝિસ' (સીજીટીએમએસઈ) ની 25મી વર્ષગાંઠ
નિમિત્તે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી. તેમણે એમએસએમઈમાટે બનાવેલ નવા
ઓનલાઇન વિવાદ નિવારણ (ઓડીઆર) પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું, જે વિલંબિત ચુકવણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં
મદદ કરશે. આ સાથે, તેમણે એમએસએમઈમેગેઝિનનું પણ
વિમોચન કર્યું અને એમએસએમઈહેકાથોન 5.0 લોન્ચ કર્યું.
આ પ્રસંગે કેન્દ્રીય એમએસએમઈ મંત્રી જીતન રામ
માંઝી, રાજ્યમંત્રી શોભા
કરંદલાજે, ખાદી અને
ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ મનોજ કુમાર અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા
હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ