રાજનાથ સિંહે કિંગદાઓ શહેરમાં, ચીનના સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી
કિંગદાઓ (ચીન), નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) ચીનના કિંગદાઓ શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) ના સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોન જુન સાથે વાતચીત કરી.
રાજનાથસિંહ


કિંગદાઓ (ચીન), નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.)

ચીનના કિંગદાઓ શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) ના સંરક્ષણ

મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ચીનના સંરક્ષણ મંત્રી

એડમિરલ ડોન જુન સાથે વાતચીત કરી. સિંઘે તેમના સત્તાવાર એક્સહેન્ડલમાં ફોટો

સાથે આ વાતચીતનું ટૂંકું વર્ણન આપ્યું છે.

સિંહે કહ્યું કે,” અમે બંનેએ દ્વિપક્ષીય સંબંધો સંબંધિત

મુદ્દાઓ પર રચનાત્મક અને દૂરંદેશી વિચારોનું આદાન-પ્રદાન કર્યું.” તેમણે એક્સપર લખ્યું, લગભગ છ વર્ષના

અંતરાલ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થવા પર મેં ખુશી વ્યક્ત કરી. બંને

પક્ષોએ આ સકારાત્મક ગતિ જાળવી રાખવી અને દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગૂંચવણો

ઉમેરવાનું ટાળવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજનાથ સિંહે ગઈકાલે શાંઘાઈ કોઓપરેશન

ઓર્ગેનાઈઝેશન સમિટમાં આતંકવાદ સામે આકરા પ્રહારો કર્યા હતા. સિંહે કહ્યું હતું કે,”

એસસીઓ એ આતંકવાદની નિંદા કરવી જોઈએ.” સિંહે કહ્યું હતું કે,” સરહદ પાર આતંકવાદ

સહિત આતંકવાદના અન્ય નિંદનીય કૃત્યોના ગુનેગારો, આયોજકો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા અને ન્યાય

અપાવવાની જરૂર છે. આતંકવાદનું દરેક કૃત્ય ગુનાહિત અને ગેરવાજબી છે. એસસીઓસભ્યોએ આ

દુષ્ટતાની સ્પષ્ટ નિંદા કરવી જોઈએ.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande