ગુવાહાટી, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.)
વિશ્વ પ્રસિદ્ધ અંબુબાસી મેળાના સમાપન પર, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે શુક્રવારે, નીલાચલ
પર્વત પર સ્થિત માં કામાખ્યા ધામમાં, પૂજા-અર્ચના કરી અને દેવીના આશીર્વાદ
મેળવ્યા.
મંદિર સંકુલની આધ્યાત્મિક શાંતિ અને કુદરતી સૌંદર્ય વચ્ચે, તેમણે કહ્યું કે,”
દર વખતે માં કામાખ્યાના દર્શન કરીને, તેમને રાષ્ટ્રની સેવા કરવાની નવી ઉર્જા અને
પ્રેરણા મળે છે. દેશવાસીઓના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરતા, તેમણે આવનારા
દિવસો માટે માતા પાસેથી આશીર્વાદ માંગ્યા.”
ઉલ્લેખનીય છે કે, આસામની નીલાચલ પર્વતો પર સ્થિત ભારતના
મુખ્ય શક્તિપીઠોમાંના એક,
કામાખ્યા મંદિરના
દરવાજા ગુરુવારે સવારે ખોલવામાં આવ્યા હતા. ચાર દિવસના વિરામ પછી મંદિરના દરવાજા
ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગ ફક્ત મંદિર ખોલવાનો જ નહોતો, પરંતુ અંબુબાસી
મહાપર્વના ઔપચારિક સમાપનનું પણ પ્રતીક છે. આ દેવી કામાખ્યાના માસિક સ્રાવ અને
સ્ત્રીત્વની શુદ્ધતાને સમર્પિત તહેવાર છે.
ગુરુવારે સવારે 5:00 વાગ્યે, મંદિરના ગર્ભગૃહના દરવાજા સામાન્ય ભક્તો માટે
ખોલવામાં આવ્યા હતા. આ પહેલા, રાત્રે 3:19 વાગ્યે, અંબુબાસીની 'નિવૃત્તિ' (એટલે કે દેવીના માસિક વિશ્રામનો અંત) ની, ઔપચારિક જાહેરાત
કરવામાં આવી હતી. મંદિર પરિસરને પરંપરાગત વિધિઓ સાથે, શુદ્ધ કરવામાં આવ્યું હતું, દેવીને નવા કપડાં
અને આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા. આ પછી, સામાન્ય ભક્તો માટે દેવીના દર્શન માટે ગર્ભગૃહ ખોલવામાં
આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ