પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 13 લોકોના મોત, 29 ઘાયલ
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શનિવારે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં અનેક પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ સહિત 13 લોકો માર્યા ગયા અને 29 અન્ય ઘાયલ થયા. આ હુમલો બપોરે થયો જ્યારે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકો
આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ


નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શનિવારે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં અનેક પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ સહિત 13 લોકો માર્યા ગયા અને 29 અન્ય ઘાયલ થયા. આ હુમલો બપોરે થયો જ્યારે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન સેનાના કાફલા સાથે અથડાવ્યું. સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, આ હુમલો શનિવારે બપોરે ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ હુમલાની તપાસ કરી રહી છે.

પાકિસ્તાનના અરબ ન્યૂઝ અનુસાર, હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 13 લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થાય છે. વિસ્ફોટમાં 10 લશ્કરી કર્મચારીઓ અને 19 નાગરિકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની અસરને કારણે બે ઘરોની છત પણ તૂટી પડી, જેમાં છ બાળકો ઘાયલ થયા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ચાર સૈનિકોની હાલત ગંભીર છે.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ થતી રહી છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) જેવા ઘણા આતંકવાદી સંગઠનો આ વિસ્તારમાં સક્રિય છે. ઉત્તર વઝીરિસ્તાન લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે અને સેનાએ અહીં ઘણી વખત આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande