કેનેરા બેંકના સીઈઓએ, નાણામંત્રીને રૂ. 2,283.41 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). જાહેર ક્ષેત્રની કેનેરા બેંકે, શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને, નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 2,283.41 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો. આ ટ્રાન્સફર આ નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોના ઉત્તમ પ્રદર્શનને પ્ર
સત્યનારાયણ રાજુએ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને રૂ. 2,283.41 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો


નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). જાહેર ક્ષેત્રની કેનેરા બેંકે, શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને, નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 2,283.41 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો. આ ટ્રાન્સફર આ નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોના ઉત્તમ પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે.

નાણામંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, કેનેરા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) કે. સત્યનારાયણ રાજુએ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 2,283.41 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો. આ પ્રસંગે કે. સત્યનારાયણ રાજુની સાથે કેનેરા બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હરદીપ સિંહ આહલુવાલિયા, ભવેન્દ્ર કુમાર અને એસકે મજુમદાર પણ હાજર હતા.

બેંક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રભાવશાળી ડિવિડન્ડ ચુકવણી કેનેરા બેંકની તેના મુખ્ય શેરધારક ભારત સરકાર સહિત તેના હિસ્સેદારોને મૂલ્ય પહોંચાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande