પ્રધાનમંત્રી મોદીને 'ધર્મ ચક્રવર્તી' સન્માન એનાયત, વિજ્ઞાન ભવનમાં ભારત માતા કી જયના ​​નારા ગુંજી ઉઠ્યા
— આચાર્ય વિદ્યાનંદ મહારાજની શતાબ્દી પર ભવ્ય સમારોહ નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). શનિવારે રાષ્ટ્રીય રાજધાનીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ''ધર્મ ચક્રવર્તી''ના પ્રતિષ્ઠિત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 'ધર્મ ચક્રવર્તી'ના પ્રતિષ્ઠિત સન્માનથી સન્માનિત કરાયા


— આચાર્ય વિદ્યાનંદ મહારાજની શતાબ્દી પર ભવ્ય સમારોહ

નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). શનિવારે રાષ્ટ્રીય રાજધાનીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 'ધર્મ ચક્રવર્તી'ના પ્રતિષ્ઠિત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૈન સંત આચાર્ય વિદ્યાનંદ મહારાજની 100મી જન્મજયંતિની ઉજવણી માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, પ્રધાનમંત્રી મોદીએ જૈન સમુદાય અને દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું કે આ દિવસ ભારતની આધ્યાત્મિક ચેતના માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે.

પ્રધાનમંત્રીએ તેમના ભાષણમાં જો હમેં છેડેગા... કહ્યું કે તરત જ, સમગ્ર વિજ્ઞાન ભવન ભારત માતા કી જયના ​​નારા અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. મોદીએ હસતાં હસતાં કહ્યું, હું જૈનોના એક કાર્યક્રમમાં છું, જેઓ અહિંસામાં માને છે. મેં અડધું વાક્ય બોલ્યું જ હતું, તમે તે પૂરું કર્યું. એવું લાગે છે કે, તમે 'ઓપરેશન સિંદૂર'ને આશીર્વાદ આપી રહ્યા હતા.

અગાઉ, પ્રધાનમંત્રીએ આચાર્ય વિદ્યાનંદ મહારાજના શતાબ્દી વર્ષ ઉજવણીનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું, જે ભારત સરકાર અને ભગવાન મહાવીર અહિંસા ભારતી ટ્રસ્ટના સંયુક્ત નેજા હેઠળ આખું વર્ષ ઉજવવામાં આવશે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, આચાર્ય વિદ્યાનંદ મુનિરાજની જન્મશતાબ્દીનો આ શુભ ઉત્સવ, તેમની અમર પ્રેરણાથી ભરપૂર આ પ્રસંગ, આપણા બધાને એક ઊંડી આધ્યાત્મિક લાગણી સાથે જોડે છે. 28 જૂનની આ તારીખ એટલા માટે પણ ખાસ છે કારણ કે 1987માં આ દિવસે આચાર્ય વિદ્યાનંદને આચાર્યનું બિરુદ મળ્યું હતું. આ માત્ર એક સન્માન નહોતું, પરંતુ સંયમ, વિચાર અને કરુણા સાથે સંકળાયેલી પવિત્ર પરંપરાની શરૂઆત હતી.

'ધર્મ ચક્રવર્તી' નું સન્માન સ્વીકારતા પ્રધાનમંત્રીએ કહ્યું, હું મારી જાતને આ સન્માન માટે લાયક નથી માનતો, પરંતુ આપણી પરંપરા છે કે સંતો પાસેથી જે કંઈ મળે છે તે પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે. હું તેને નમ્રતાપૂર્વક સ્વીકારું છું અને ભારત માતાના ચરણોમાં અર્પણ કરું છું.

પ્રધાનમંત્રીએ 'નવકાર મહામંત્ર દિવસ' પર લેવામાં આવેલા નવ સંકલ્પોની પણ યાદ અપાવી - જેમાં જળ સંરક્ષણ, માતાના નામે એક વૃક્ષ, સ્વચ્છતા, સ્થાનિક, કુદરતી ખેતી, યોગ, રમતગમત, ગરીબી નાબૂદી અને ભારતીય દર્શન અપનાવવા જેવા સંકલ્પોનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande