પ્રધાનમંત્રી મોદીએ, સ્પેસ સ્ટેશન પર હાજર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાત કરી
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર હાજર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાત કરી. શુભાંશુ હાલમાં એક્સિઓમ-4 મિશન હેઠળ આઈએસએસ પર છે. પ્રધાનમંત્રી કાર્યાલય (પી
પ્રધાનમંત્રી મોદીએ, સ્પેસ સ્ટેશન પર હાજર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાત કરી


નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર હાજર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાત કરી. શુભાંશુ હાલમાં એક્સિઓમ-4 મિશન હેઠળ આઈએસએસ પર છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ, શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રધાનમંત્રી મોદી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા વચ્ચેની વાતચીતનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાત કરી, જેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે.

શુભાંશુ શુક્લાએ, 25 જૂનના રોજ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિઓમ-4 મિશન હેઠળ ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા શરૂ કરી હતી. આ ઐતિહાસિક ઉડાન સાથે, તેમણે વૈશ્વિક અવકાશ નકશા પર ભારતનું નામ વધુ ગર્વથી લખાવ્યું છે. આ ક્ષણ ભારતના અવકાશ ઇતિહાસમાં એક ગર્વના પ્રકરણ તરીકે નોંધાઈ છે, કારણ કે શુક્લા છેલ્લા 40 વર્ષમાં અવકાશમાં જનારા પ્રથમ ભારતીય છે. રાકેશ શર્મા પછી, શુભાંશુ શુક્લા અવકાશમાં જનારા બીજા ભારતીય છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande