કોલકતા ગેંગરેપની તપાસ માટે, ભાજપે ચાર સભ્યોની સમિતિની રચના કરી
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, શનિવારે કોલકતા લો કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી. આ ઘટનાની નિંદા કરતા, ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પરિસ્થિતિની સમીક્ષા કરી. આ સંદર્ભમાં, રાષ્ટ્રીય
ભાજપ પ્રમુખ જેપી નડ્ડા


નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, શનિવારે કોલકતા લો કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી. આ ઘટનાની નિંદા કરતા, ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પરિસ્થિતિની સમીક્ષા કરી.

આ સંદર્ભમાં, રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે શનિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળની કોલકતા લો કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપની સખત નિંદા કરી છે. આ ઘટનાની નિંદા કરતા, તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આ ગંભીર ઘટનાના તથ્યોની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સતપાલ સિંહ, ભૂતપૂર્વ સાંસદ મીનાક્ષી લેખી, લોકસભા સાંસદ બિપ્લબ દેવ અને રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સમિતિ ટૂંક સમયમાં ઘટનાસ્થળની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનો અહેવાલ સુપરત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande