જૈસલમેર, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.)
જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદથી લગભગ 10-12 કિમી અંદર આવેલા, સાધેવાલાના ભારતીય સરહદી વિસ્તારમાં એક
યુવાન અને એક સગીર છોકરીના, સડી ગયેલા મૃતદેહ મળી આવ્યા છે. પ્રારંભિક અંદાજ મુજબ, મૃતદેહ લગભગ સાત
દિવસ પહેલાના છે.
મૃતદેહોની નજીક એક પાકિસ્તાની સિમ અને એક આઈડી કાર્ડ પણ મળી
આવ્યું છે, જેના કારણે એવી
શંકા છે કે, યુવક અને છોકરી બંને પાકિસ્તાની હોઈ શકે છે.
એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે,” મળેલા આઈડી કાર્ડમાં
યુવકનું નામ રવિ કુમાર (18 વર્ષ) લખેલું
છે.”
સરહદી વિસ્તારની અંદર સાદેવાલા વિસ્તારમાં મૃતદેહ પડેલા મળી
આવ્યા હતા. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સ્થાનિક પોલીસે તાત્કાલિક
ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહોને રામગઢ સીએચસીના શબઘરમાં રાખવામાં
આવ્યા છે.
પોસ્ટમોર્ટમ પછી મૃત્યુનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાશે.
હાલમાં, એ સ્પષ્ટ નથી કે,”
છોકરો અને છોકરી ભારતીય છે કે, પાકિસ્તાની.”
ઘટનાની ગંભીરતાને જોતાં, બીએસએફ, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી
છે. સરહદી ગામોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે
કે,” બંને વિઝા પર ભારત આવ્યા હશે અથવા કાંટાળા તાર પાર કરીને ગેરકાયદેસર રીતે
ભારતીય સરહદમાં પ્રવેશ્યા હશે.”
એજન્સીઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે,” આ કેસ જાસૂસી, ઘૂસણખોરી કે
આંતરરાષ્ટ્રીય દાણચોરી સાથે સંબંધિત તો નથી ને.”
હિન્દુસ્થાન સમાચાર / રોહિત / ઈશ્વર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ