નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.) રવિવારે સવારે ઓડિશાના પુરીમાં ભગવાન
જગન્નાથની રથયાત્રા દરમિયાન, ધક્કામુક્કી અને ભાગદોડ જેવી સ્થિતિને કારણે ત્રણ
શ્રદ્ધાળુઓના મોત અને 10 થી વધુ ઘાયલ
થયા. પરંપરાગત પહંડી યાત્રા હેઠળ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને શ્રી ગુંડિચા
મંદિરના ગર્ભગૃહમાં લઈ જતી વખતે આ ઘટના બની હતી. સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય
તપાસના આદેશ આપ્યા છે.
રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યે ભગવાનના દર્શન માટે, મોટી સંખ્યામાં લોકો શ્રી
ગુંડિચા મંદિરની સામે એકઠા થયા હતા, ત્યારે અંધાધૂંધી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ
દરમિયાન દર્શન માટે ભક્તોમાં ભીડ થઈ ગઈ અને ઘણા લોકો જમીન પર પડી ગયા. જેના કારણે
ભીડમાં કચડાઈને, ત્રણ લોકોના મોત થયા. આમાં બે મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુ
અને એક વૃદ્ધ પ્રેમકાંત મોહંતીનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 1૦ થી વધુ
શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હતા.
ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટના
અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ