આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક જન આંદોલન બન્યુ, દેશ અને વિદેશમાં જોવા મળ્યો અદ્ભુત ઉત્સાહ - પ્રધાનમંત્રીએ 'મન કી બાત'માં ઉલ્લેખ કર્યો
નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ''મન કી બાત'' કાર્યક્રમમાં 21 જૂને આયોજિત, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યતાને યાદ કરી અને દેશવાસીઓને તેના પ્રત્યે વધતી જાગૃતિ માટે અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે,” 10
લસદ


નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમમાં 21 જૂને આયોજિત,

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યતાને યાદ કરી અને દેશવાસીઓને તેના પ્રત્યે વધતી

જાગૃતિ માટે અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે,” 10 વર્ષમાં યોગ દિવસ એક વૈશ્વિક જન આંદોલન બની

ગયો છે અને આ એક સંકેત છે કે, લોકોએ યોગને પોતાના જીવનમાં અપનાવવાનું શરૂ કર્યું

છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આ વર્ષે વિશાખાપટ્ટનમના

દરિયાકિનારે ત્રણ લાખથી વધુ લોકોએ સાથે યોગ કર્યો, જે એક ઐતિહાસિક ઘટના હતી. આ ઉપરાંત, 2000 થી વધુ આદિવાસી

વિદ્યાર્થીઓએ 108 મિનિટ માટે 108 સૂર્યનમસ્કાર

કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું.”

નૌકાદળના જહાજો પર, હિમાલયના બરફીલા શિખરો પર આઈટીબીપી સૈનિકો દ્વારા યોગ

પ્રદર્શન અને જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા ચિનાબ પુલ પર યોગ સત્રોનું

આયોજન સમગ્ર દેશમાં યોગ પ્રત્યેના ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. દિલ્હીમાં યમુના

કિનારે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને જોડતા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તે જ સમયે, તેલંગાણામાં 3000 દિવ્યાંગજનોએ

સામૂહિક રીતે યોગ કરીને સાબિત કર્યું કે, યોગ સશક્તિકરણનું માધ્યમ પણ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,” આ વખતે 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય

માટે યોગ' થીમ માત્ર એક

સૂત્ર નથી, પરંતુ તે 'વસુધૈવ કુટુમ્બકમ' ની ભાવનાને

મૂર્તિમંત કરે છે. તેમણે કહ્યું કે યોગના ચિત્રો ન્યુ યોર્ક, લંડન, ટોક્યો અને પેરિસ

જેવા મોટા શહેરોમાંથી પણ આવ્યા છે, જે શાંતિ, સ્થિરતા અને સંતુલનને પ્રેરણા આપે છે.”

આ પ્રસંગે, વડાપ્રધાને તમામ દેશવાસીઓને યોગને તેમના જીવનનો ભાગ બનાવવા

અને ભારતના આ પ્રાચીન જ્ઞાનથી વિશ્વને લાભ આપવા વિનંતી કરી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande