નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે, તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં કટોકટીના
50મા વર્ષગાંઠ પર તેના કાળા પ્રકરણને યાદ કર્યું અને કહ્યું કે,” તે ફક્ત બંધારણની
હત્યા જ નહીં, પરંતુ ન્યાયતંત્રને ગુલામ બનાવવાનો પ્રયાસ પણ
હતો. તેમણે અત્યાચારનો સામનો કરતી વખતે લોકશાહીનું રક્ષણ કરનારા હજારો લોકોને
શ્રદ્ધાંજલિ આપી.”
વડાપ્રધાને આજે 'મન કી બાત' કાર્યક્રમના 123મા એપિસોડમાં ઘણા વિષયો પર
પોતાના વિચારો શેર કર્યા. તેમણે તાજેતરના સમયમાં દેશમાં થયેલા સકારાત્મક ફેરફારો, સાંસ્કૃતિક તહેવારો, સામાજિક ભાગીદારી, મહિલાઓની પ્રગતિ, પર્યાવરણ સંરક્ષણ
અને ભારતની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને દેશવાસીઓને ગર્વ અને પ્રેરણા
આપી.
વડાપ્રધાને કટોકટીની 50મી વર્ષગાંઠ પર લોકશાહીના રક્ષણમાં
રોકાયેલા લોકોને યાદ કર્યા. મોદીએ કહ્યું કે,” 1975માં લાદવામાં આવેલી કટોકટી
દરમિયાન, લોકો પર મોટા પાયે અત્યાચાર ગુજારવામાં આવ્યા
હતા. તમે કલ્પના કરી શકો છો કે તે સમયગાળો કેવો હતો. કટોકટી લાદનારાઓએ ફક્ત આપણા
બંધારણની હત્યા જ નહીં પણ ન્યાયતંત્રને ગુલામ બનાવવાનો પણ ઇરાદો રાખ્યો હતો. આ
સમયગાળા દરમિયાન, લોકોને મોટા પાયે
ત્રાસ આપવામાં આવ્યો હતો. આવા ઘણા ઉદાહરણો છે જે ક્યારેય ભૂલી શકાતા નથી.”
કાર્યક્રમ દરમિયાન, તેમણે ભૂતપૂર્વ
વડાપ્રધાનો મોરારજી દેસાઈ, બાબુ જગજીવન રામ
અને અટલ બિહારી વાજપેયીના, જૂના ઓડિયો પણ શેર કર્યા.જેમાં તેમણે તે સમયગાળાની ભયાનકતા સમજાવી.”
તેમણે કહ્યું કે,” જ્યોર્જ ફર્નાન્ડિસ સાહેબને સાંકળોમાં
બાંધવામાં આવ્યા હતા. ઘણા લોકોને કઠોર ત્રાસ આપવામાં આવ્યો હતો. MISA હેઠળ, કોઈની પણ આવી જ
ધરપકડ કરી શકાતી હતી. વિદ્યાર્થીઓને પણ હેરાન કરવામાં આવ્યા હતા. અભિવ્યક્તિની
સ્વતંત્રતાનું પણ ગળું દબાવવામાં આવ્યું હતું.” વડાપ્રધાન મોદીએ કહ્યું કે,” તે
સમયગાળા દરમિયાન ધરપકડ કરાયેલા હજારો લોકો પર આવા અમાનવીય અત્યાચારો કરવામાં આવ્યા
હતા પરંતુ તે ભારતના લોકોની તાકાત છે કે, તેઓ ઝૂક્યા નહીં, તૂટી પડ્યા નહીં અને લોકશાહી સાથે કોઈ સમાધાન
સ્વીકાર્યું નહીં. આખરે, લોકો જીત્યા -
કટોકટી હટાવી લેવામાં આવી અને કટોકટી લાદનારાઓનો પરાજય થયો.” મોદીએ કહ્યું, ભારતના લોકોની તાકાત હતી કે તેઓ ઝૂક્યા નહીં, તૂટ્યા નહીં અને લોકશાહી સાથે કોઈ સમાધાન
સ્વીકાર્યું નહીં. 25 જૂને લાદવામાં આવેલી કટોકટીની 50મી વર્ષગાંઠ પર, કેન્દ્ર સરકારે તેને સંવિધાન હત્યા
દિવસ તરીકે ઉજવ્યો.
મોદીએ કહ્યું કે,” દેશ પર લાદવામાં આવેલી કટોકટીના 50 વર્ષ
થોડા દિવસો પહેલા જ પૂર્ણ થયા છે. આપણે દેશવાસીઓએ 'સંવિધાન હત્યા
દિવસ' ઉજવ્યો છે. આપણે હંમેશા તે બધા લોકોને યાદ
રાખવા જોઈએ જેમણે કટોકટીનો બહાદુરીથી સામનો કર્યો હતો. આ આપણને આપણા બંધારણને
મજબૂત રાખવા માટે સતત સતર્ક રહેવાની પ્રેરણા આપે છે.”
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યતા વર્ણવતા પ્રધાનમંત્રીએ
કહ્યું કે,” આ વખતે યોગ દિવસે વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ સાથે
યોગ કર્યો. બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી સૂર્ય નમસ્કાર
કર્યા. દિલ્હીમાં યમુના કિનારે યોગ સ્વચ્છતાના સંકલ્પ સાથે જોડાયેલો હતો. હિમાલયના
બરફીલા શિખરોથી લઈને નૌકાદળના જહાજો સુધી, દરેક જગ્યાએ યોગ
કરવામાં આવ્યા હતા. તેમણે આ વર્ષની થીમ 'એક પૃથ્વી, એક આરોગ્ય' ને વૈશ્વિક એકતા
અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ ગણાવ્યો.”
તીર્થયાત્રાઓમાં સેવાની ભાવનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ
કહ્યું કે,” જ્યારે લોકો તીર્થયાત્રા પર જાય છે, ત્યારે હજારો
લોકો સેવામાં જોડાય છે - ખોરાક, પાણી, તબીબી સંભાળ અને આશ્રયની વ્યવસ્થા ભાવનાથી
કરવામાં આવે છે. તેમણે કૈલાશ માનસરોવર યાત્રા અને અમરનાથ યાત્રા, જગન્નાથ રથયાત્રા જેવા કાર્યક્રમો ફરી શરૂ
કરવાની ચર્ચા કરી અને સેવાની ભાવનામાં સામેલ લોકોની પ્રશંસા કરી.” તેમણે દેશને
ટ્રેકોમા રોગ મુક્ત જાહેર કરવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે,” સ્વચ્છતા, પાણી પુરવઠા અને આરોગ્ય કર્મચારીઓની મહેનતને
કારણે આ સિદ્ધિ શક્ય બની છે.”
તેમણે કહ્યું કે,” હવે દેશની લગભગ 64 ટકા વસ્તીને કેટલીક
સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળી રહ્યો છે, જે 2015 પહેલા
ફક્ત 25 કરોડ લોકો સુધી મર્યાદિત હતી.”
આસામના બોડોલેન્ડ ક્ષેત્રમાં યોજાઈ રહેલી ફૂટબોલ
ટુર્નામેન્ટનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રી
મોદીએ યુવાનોની ઉર્જા, એકતા અને
આત્મવિશ્વાસની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે,” આ પ્રદેશના યુવાનો, જે એક સમયે સંઘર્ષનું પ્રતીક હતું, હવે રમતગમત દ્વારા દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
તેમણે તેલંગાણાના ભદ્રાચલમની મહિલાઓ દ્વારા બનાવેલા બાજરીના બિસ્કિટ અને સસ્તા
સેનિટરી પેડ્સ વિશે માહિતી આપી. તેમણે કર્ણાટકના કલબુર્ગીની મહિલાઓ દ્વારા તૈયાર
કરાયેલા જુવારના રોટલીને પણ એક ઉદાહરણ તરીકે વર્ણવ્યું, જે હવે શહેરોમાં પહોંચી રહ્યું છે.”
તેમણે મધ્યપ્રદેશની સુમન ઉઇકે દ્વારા મશરૂમ ઉત્પાદન અને 'દીદી કેન્ટીન' દ્વારા
આત્મનિર્ભરતાની વાર્તા પણ શેર કરી.
તેમણે મેઘાલયના એરી સિલ્કને ભૌગોલિક સૂચક ટેગ મળવા પર ખુશી
વ્યક્ત કરી અને તેને પર્યાવરણને અનુકૂળ, શાંતિનું પ્રતીક
ગણાવ્યું. તેમણે લોકોને ખાદી, હેન્ડલૂમ અને
ભારતમાં બનેલા ઉત્પાદનો અપનાવવા અપીલ કરી. પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધની પવિત્ર
રાખને દર્શન માટે વિયેતનામ લઈ જવા અને ત્યાંના 1.5 કરોડથી વધુ લોકો દ્વારા દર્શન
કરવાને ભારતના સાંસ્કૃતિક વારસાની વૈશ્વિક માન્યતા ગણાવી.
પર્યાવરણના ક્ષેત્રમાં, પુણેના રમેશ
ખરમાલે દ્વારા ટેકરીઓ પર પાણી સંરક્ષણ અને વૃક્ષારોપણ, અમદાવાદમાં 'સિંદૂર ફોરેસ્ટ' અને 'એક પેડ મા કે નામ' જેવા અભિયાનોનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ દરેકને પર્યાવરણના રક્ષણમાં ભાગ
લેવા પ્રેરણા આપી. તેમણે મહારાષ્ટ્રના 'પટોડા' ગામને અનુકરણીય ગણાવ્યું જે કાર્બન તટસ્થ ગ્રામ
પંચાયત બની ગયું છે.
કાર્યક્રમના અંતે, પ્રધાનમંત્રીએ અવકાશમાં ભારતની તાજેતરની સફળતા તરફ ધ્યાન
દોર્યું અને કહ્યું કે,” ભારત દરેક ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત, મહિલા સશક્તિકરણ, સ્વદેશી ઉત્પાદનો માટે સમર્થન અને પર્યાવરણીય સંરક્ષણ જેવા
વિષયો પર પોતાના વિચારોનું પુનરાવર્તન કર્યું અને દેશવાસીઓને સકારાત્મક યોગદાન
આપવા અપીલ કરી.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ