દહેરાદૂન, નવી દિલ્હી 29 જૂન (હિ.સ.) ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે, પહાડી જિલ્લાઓમાં
જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નદીઓ અને નાળાઓ ઉભરી આવ્યા છે. ભારે વરસાદ અને
ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રા આગામી 24 કલાક માટે મુલતવી રાખવામાં આવી છે. મુસાફરો અને લોકોની
સલામતી અંગે, સંબંધિત જિલ્લાઓના વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને
રાહત અને બચાવ ટીમો સક્રિય કરવામાં આવી છે.
ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ આ માહિતી આપતા તેમણે જણાવ્યું
હતું કે,” વર્તમાન હવામાન પરિસ્થિતિઓને
ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે,” યાત્રીઓના જીવન
અને સંપત્તિની સલામતીને ધ્યાનમાં રાખીને આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે, જેથી માર્ગો પર
ફસાયેલા શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે અને તેમને સુરક્ષિત સ્થળોએ
લઈ જઈ શકાય.”
કમિશનરે કહ્યું કે,” આવતીકાલે હવામાન પરિસ્થિતિઓ અને
માર્ગોની સમીક્ષા કર્યા પછી વધુ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે
શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ, માર્ગદર્શિકાનું પાલન કરવા અને
હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી યાત્રાધામો તરફ ન જવા અપીલ કરી છે.”
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ