ઉત્તરકાશી, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.)
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી વિસ્તારમાં સિલાઇ બેંડ પાસે, શનિવારે
મધ્યરાત્રિએ વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. અહીં 8-9 મજુરો ગુમ થયાના અહેવાલ છે. પોલીસ, વહીવટીતંત્ર, એસડીઆરએફએ ઘટનાસ્થળે બચાવ
કામગીરી શરૂ કરી છે.
યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાલીગાડથી 4 કિમી આગળ સિલાઇ બેંડ
પાસે, સવારે 3 વાગ્યે વાદળ
ફાટવાની ઘટના બની હતી. ત્યારબાદ 8-9 મજુરો ગુમ થયાના અહેવાલ છે. ઉપરાંત, યમુનોત્રી
હાઇવેનો લગભગ 10 મીટર ભાગ ધોવાઈ
ગયો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે,” સિલાઇ
બેંડ નજીક, એક હોટલનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના મજુરો નજીકના કેમ્પમાં રહેતા હતા. કેમ્પમાં લગભગ 19 મજૂરો હતા, જેમાંથી 8-9 મજુરો ગુમ છે.
તે જ સમયે, ભારે કાટમાળને
કારણે સિલાઇ બેંડ નજીક, રાષ્ટ્રીય ધોરીમાર્ગનો લગભગ 10 મીટર ભાગ ધોવાઈ
ગયો છે.”
જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે,” એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ ટીમો
ઘટનાસ્થળે છે અને મજુરોની શોધ ચાલુ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડિઝાસ્ટર ઓપરેશન
સેન્ટરથી સતત દેખરેખ રાખી રહ્યા છે.”
કુથનૌર ગામમાં વાદળ ફાટવાથી ગ્રામજનોને પણ, નુકસાન થયું છે.
જોકે, કોઈ પણ પ્રકારના
માનવ કે પ્રાણીના નુકસાનના અહેવાલ નથી. યમુના નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું
છે. યમુના નદીના કિનારે રહેતા લોકોને, ચેતવણી આપવામાં આવી છે.
સ્થાનિક રહેવાસી સામાજિક કાર્યકર મહાવીર સિંહ પંવારે
જણાવ્યું હતું કે,” યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિવિધ સ્થળોએ વાદળ ફાટવાથી 2 થી 3 સ્થળોએ રસ્તો
સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. ઓઝરી નજીકનો રસ્તો પણ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો
છે અને ખેતરોમાં કાટમાળ આવવાથી રસ્તા બંધ છે.ડબરકોટમાં પણ કાટમાળને
કારણે રસ્તો પણ બંધ છે.સ્યાનચટ્ટીમાં પણ કુપડા કુંશાલા ત્રિખિલી મોટર બ્રિજ પણ,
ખતરામાં આવી ગયો છે અને સ્યાનચટ્ટીમાં પણ ખતરનાક પરિસ્થિતિ બનેલી છે.”
ભારે વરસાદને કારણે, નેતાલા બિશનપુર, લાલાઢાંગ, નાલુણામાં ભૂસ્ખલનને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ
બંધ છે. વરસાદ ચાલુ છે અને બધી નદીઓ ભયના નિશાનની નજીક વહી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ચિરંજીવ સેમવાલ / વિનોદ પોખરિયાલ /
સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ