વકફ અને બંધારણ બંને બચાવવા જોઈએ: સલમાન ખુર્શીદ
પટના, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ, રવિવારે પટણા પહોંચ્યા. અહીં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે,” વકફ અને બંધારણ બંને બચાવવા જોઈએ. આપણા દેશના સાંપ્રદાયિક સ
નેતા


પટના, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.)

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ, રવિવારે પટણા

પહોંચ્યા. અહીં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે,” વકફ અને બંધારણ બંને

બચાવવા જોઈએ. આપણા દેશના સાંપ્રદાયિક સૌહાર્દ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આ

જરૂરી છે.” તેમણે કહ્યું કે,” તેઓ આજે વકફ કાયદા વિરુદ્ધ આયોજિત કાર્યક્રમમાં ભાગ

લેવા આવ્યા છે.”

સલમાન ખુર્શીદે બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા પર

પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે,” તમામ રાજકીય પક્ષોએ આ મુદ્દા પર પોતાની

ચિંતા વ્યક્ત કરી છે. ચોક્કસપણે, તેને ગંભીરતાથી જોવું જોઈએ, કારણ કે મતદાર યાદીમાં અનિયમિતતા લોકશાહી

પ્રક્રિયાને અસર કરી શકે છે.” તેમણે કહ્યું કે,” દેશ આજે એવા વળાંક પર ઉભો છે, જ્યાં આપણે એ

જોવું જરૂરી છે કે આપણે ક્યાં છીએ અને કઈ દિશામાં જઈ રહ્યા છીએ?”તેમણે કહ્યું કે,”

આપણે ઝઘડો અને લડાઈ કરતી વખતે પાછળ હટી રહ્યા છીએ.”

સલમાન ખુર્શીદે કહ્યું કે,” તમામ વર્ગો અને સમુદાયોના

અધિકારોનું રક્ષણ જરૂરી છે.” તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે રાજકીય પક્ષોએ એક

થવું જોઈએ અને દેશના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ, જેથી ભારત

વિકાસના માર્ગ પર આગળ વધી શકે.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande