આઈપીએલ 2025 ફાઇનલ પહેલા, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું - અડધું કામ હજુ બાકી છે
અમદાવાદ, નવી દિલ્હી, ૦3 જૂન (હિ.સ.) પંજાબ કિંગ્સે બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને, આઈપીએલ 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિવારે આ ઐતિહાસિક જીત બાદ, કેપ્ટન શ્રેયસ ઐયરે સોમવારે પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન
આઈપીએલ


અમદાવાદ, નવી દિલ્હી, ૦3 જૂન (હિ.સ.)

પંજાબ કિંગ્સે બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને, આઈપીએલ 2025ની ફાઇનલમાં

જગ્યા બનાવી છે. રવિવારે આ ઐતિહાસિક જીત બાદ, કેપ્ટન શ્રેયસ ઐયરે સોમવારે પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ

દરમિયાન ટીમની અત્યાર સુધીની સફર, તેની રણનીતિ અને અંતિમ મેચ વિશે ખુલ્લેઆમ વાત કરી.

શ્રેયસ ઐયરે કહ્યું, એક કેપ્ટનનું કામ છે કે, તે તેના ખેલાડીઓ પાસેથી

શ્રેષ્ઠ પ્રદર્શન મેળવે. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ અમને ગતિ મળી હતી અને તે પછી

દરેક ખેલાડીએ જવાબદારી લીધી. અમારી પાસે ઘણા યુવા ખેલાડીઓ છે, જેમણે શરૂઆતથી જ

મજબૂત પ્રદર્શન કર્યું છે. આ અમારા ફાઇનલમાં પહોંચવાનું એક મોટું કારણ છે.

જ્યારે પંજાબની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે શરૂઆતના પરાજયનો

સામનો કરી રહી હતી, ત્યારે ઐયરે 41 બોલમાં અણનમ 87 રનની કેપ્ટનશીપ

ઇનિંગ રમી હતી. આ વિશે તેમણે કહ્યું, મને પરિસ્થિતિ અનુસાર રમવાનું ગમે છે. હું રન

રેટ, પિચ અને બોલરો

જોઈને મારી રણનીતિ બનાવું છું. હું મેચને અંત સુધી લઈ જવાનો પ્રયાસ કરું છું.

યોજના ચોક્કસ હોવી જોઈએ અને તે જ દિવસે કામ કરવું જોઈએ.

જ્યારે ટીમમાં વિજય પછી ઉજવણી થઈ રહી હતી, ત્યારે ઐય્યર

શાંત દેખાતા હતા. તેમણે કહ્યું, મને લાગ્યું કે મારું કામ હજી પૂરું થયું નથી. ફાઇનલ મેચ

હજુ રમવાની બાકી છે. મારું ધ્યાન રિકવરી પર હતું. હું તેને એ વિચારથી જોઉં છું કે

અડધું કામ પૂરું થઈ ગયું છે, મારે કાલે મેદાન પર પાછા ફરવું પડશે.

પ્રથમ ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની હાર બાદ, ટીમે રણનીતિ

બદલી.

ઐયરે કહ્યું, દરેક પરિસ્થિતિ અલગ હોય છે. અમે તે મુજબ રમીએ

છીએ. અમે સીધી યોજના સાથે જઈ શકતા નથી. અમારા યુવા ખેલાડીઓ, નિર્ભય છે અને હવે

તેમને અનુભવ પણ મળ્યો છે. તેઓ પરિસ્થિતિ સાથે ઝડપથી, અનુકૂળતા સાધી લે છે.

અંતે, ઐયરે ફાઇનલ માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

તેમણે કહ્યું, “જ્યારે તમે

મેદાનમાં ઉતરો છો, ત્યારે ફક્ત

હરીફાઈ હોય છે. આરામ જેવી કોઈ વસ્તુ હોતી નથી. આ એક યુદ્ધ છે અને હું મારી ટીમ

વિજેતા બને તે માટે, મારા તમામ પ્રયત્નો કરીશ.”

પંજાબ કિંગ્સ, હવે આજે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી

ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે, આઈપીએલ 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande