હોસ્પિટલ પરિસરમાં તબીબી પ્રતિનિધિઓને મંજૂરી આપવામાં આવશે નહીં, ડિરેક્ટોરેટે હોસ્પિટલોને પત્ર લખ્યા
નવી દિલ્હી, ૦3 જૂન (હિ.સ.) હવે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં તબીબી પ્રતિનિધિઓને સીધા ડોકટરોને મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે, કેન્દ્ર સરકારની હોસ્પિટલોને પત્ર લખીને તેમને હોસ્પિટલ પરિસરમાં તબીબી
હોસ્પિટલ પરિસરમાં તબીબી પ્રતિનિધિઓને મંજૂરી આપવામાં આવશે નહીં, ડિરેક્ટોરેટે હોસ્પિટલોને પત્ર લખ્યા


નવી દિલ્હી, ૦3 જૂન (હિ.સ.) હવે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં તબીબી

પ્રતિનિધિઓને સીધા ડોકટરોને મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આરોગ્ય સેવા

મહાનિર્દેશાલયે, કેન્દ્ર સરકારની હોસ્પિટલોને પત્ર લખીને તેમને હોસ્પિટલ પરિસરમાં

તબીબી પ્રતિનિધિઓને મંજૂરી ન આપવા જણાવ્યું છે. તેનો હેતુ ફાર્માસ્યુટિકલ કંપનીઓ

અને તબીબી વ્યાવસાયિકો વચ્ચેના જોડાણને રોકવા તેમજ દર્દીઓને લાંબી રાહ જોવાથી

બચાવવાનો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, ફાર્મા પ્રતિનિધિઓ ડોકટરો સાથે લાંબા

સમય સુધી વાત કરે છે, જેના કારણે કામ

પર અસર પડે છે અને ઘણી વખત દર્દીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.

28 મેના રોજ, આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (ડીજીએચએસ) એ, એક આદેશમાં

તમામ સરકારી હોસ્પિટલોને તબીબી પ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ

આપ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે,” જો ફાર્માસ્યુટિકલ કંપનીઓ નવી સારવાર

અથવા તબીબી સંશોધન વિશે, માહિતી શેર કરવા માંગતી હોય, તો તેઓએ ઇમેઇલ

અથવા અન્ય ડિજિટલ મીડિયા દ્વારા આમ કરવું પડશે.” 28 મેના રોજ જારી કરાયેલા આદેશમાં, સરકારી તબીબી

સંસ્થાઓના વડાઓને નવી નીતિનું પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande