પ્રધાનમંત્રી 6 જૂનના રોજ, ચિનાબ પુલનું ઉદ્ઘાટન કરશે: ડૉ. જીતેન્દ્ર સિંહ
-વિશ્વનો સૌથી ઊંચો, રેલ્વે પુલ જમ્મુ,નવી દિલ્હી,૦3 જૂન (હિ.સ.) કેન્દ્રીય અવકાશ મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે, મંગળવારે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 જૂને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે
પુલ


-વિશ્વનો સૌથી ઊંચો, રેલ્વે પુલ

જમ્મુ,નવી દિલ્હી,૦3 જૂન (હિ.સ.) કેન્દ્રીય અવકાશ મંત્રી અને

પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે, મંગળવારે જાહેરાત કરી

કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 જૂને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચિનાબ પુલનું

ઉદ્ઘાટન કરશે. આ પુલ જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક

પ્રોજેક્ટનો એક ભાગ છે.

ડૉ. જીતેન્દ્ર સિંહે એક્સપર એક પોસ્ટમાં

કહ્યું છે કે,” પ્રધાનમંત્રી મોદી 6 જૂને ચિનાબ પુલનું ઉદ્ઘાટન કરશે.જે નવા ભારતની

શક્તિ અને વિઝનનું ગૌરવપૂર્ણ પ્રતીક છે. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ, શક્તિશાળી ચિનાબ

પુલ જમ્મુ અને કાશ્મીરમાં ઊંચો છે. તે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંકનો એક

ભાગ છે. આ પુલ, કુદરતની સૌથી કઠિન કસોટીઓનો સામનો કરવામાં સક્ષમ છે.”

આ પુલ વિશે સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની ઊંચાઈ 359

મીટર છે, જે પેરિસના એફિલ

ટાવર કરતાં પણ વધુ છે. તે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ છે અને 250 કિમી

પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો સામનો કરવા સક્ષમ છે. તે સ્ટીલનો પુલ છે અને તેના

નિર્માણમાં લગભગ 30,000 મેટ્રિક ટન, સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે નવા

ભારતની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે, કે તે જે કલ્પના કરે છે અને જે સંકલ્પ કરે

છે તે પ્રાપ્ત કરે છે.

ચિનાબ રેલ્વે બ્રિજ, વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ, કટરા-થી-સંગલદાન

વિભાગનો ભાગ હશે, જે નવી દિલ્હીને કટરા દ્વારા સીધા કાશ્મીર સાથે જોડશે. જમ્મુ અને

કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ પુલ, એ એન્જિનિયરિંગની એક અજાયબી છે, જે નદીના

પટથી 359 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. તે ઇતિહાસમાં પ્રથમ વખત, કાશ્મીર ખીણને રેલ

દ્વારા ભારતના બાકીના ભાગ સાથે સત્તાવાર રીતે જોડશે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande