તેહરાન, નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) ઈઝરાયલી એવિન જેલ પર હુમલામાં માર્યા ગયેલા ઈરાનીઓમાં વહીવટી કર્મચારીઓ, સ્વયંસેવક લશ્કરી યુવાનો, કેદીઓ, તેમને મળવા આવેલા પરિવારના સભ્યો અને જેલની નજીક રહેતા પડોશીઓનો સમાવેશ થાય છે. ન્યાયતંત્રના પ્રવક્તા અસગર જહાંગીરીએ કહ્યું છે કે, આ જેલ ઉત્તરી તેહરાનમાં છે. આ જેલ પર ઈઝરાયલી હુમલામાં 71 લોકોના મોત થયા છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી આઈઆરએનએના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.
આઈઆરએનએ એ, ન્યાયતંત્રના મીડિયા સેન્ટરની એક પ્રેસ રિલીઝમાં અસગર જહાંગીરીને ટાંકીને કહ્યું છે કે, આ આંકડો 29 જૂને જાહેર કરવામાં આવ્યો હતો. ઈઝરાયલે 23 જૂને આ હુમલો કર્યો હતો. જહાંગીરીએ કહ્યું કે, ઈઝરાયલી હુમલામાં ભારે ભૌતિક નુકસાન પણ થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ હુમલો ગુનાહિત છે. ન્યાયતંત્રના વડા ગુલામ હુસેન મોહસેની-એજેઈએ પહેલાથી જ આ બર્બર હુમલાની નિંદા કરી છે, અને કહ્યું છે કે, ઈરાન આ મામલાને આંતરરાષ્ટ્રીય કાનૂની સંસ્થાઓ સમક્ષ લઈ જશે.
આઈઆરએનએ અનુસાર, ઇઝરાયલે 13 જૂનના રોજ ઇરાન પર કોઈ ઉશ્કેરણી વિના હુમલો કર્યો, જેમાં ટોચના લશ્કરી કમાન્ડરો, વૈજ્ઞાનિકો અને નાગરિકો સહિત 600 થી વધુ લોકો માર્યા ગયા. ઇરાની સશસ્ત્ર દળોએ જોરદાર પ્રતિક્રિયા આપી. 22 જૂનના રોજ, અમેરિકાએ ઇઝરાયલને ટેકો આપ્યો અને શાસન સાથે સંકલનમાં, આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને ત્રણ ઇરાની પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. અમેરિકા-ઇઝરાયલ આક્રમણ 12 દિવસ પછી બંધ થયું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ