કાઠમંડુ, નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) નેપાળની ખાસ કોર્ટે, 321 અબજ રૂપિયાથી વધુના હાઇ પ્રોફાઇલ ટેલિકોમ ભ્રષ્ટાચાર કેસમાં નેપાળી કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રી મોહન બસ્નેતને, 25 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ, 15 મેના રોજ નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (એનટીએ)ના આ કૌભાંડનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો. આમાં બસ્નેત અને અન્ય 15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ખાસ કોર્ટના ન્યાયાધીશ તેજ નારાયણ સિંહ રાય, ન્યાયાધીશ રામ બહાદુર થાપા અને ન્યાયાધીશ બિદુર કોઈરાલાની બેન્ચે આજે સૌપ્રથમ બસનેટનું નિવેદન નોંધ્યું હતું. આ પછી, તેમની મુક્તિનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો આરોપ છે કે, નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી માટે ટેરામોક્સ સિસ્ટમની ખરીદી દરમિયાન મોટા પાયે ઉચાપત કરવામાં આવી છે. અન્ય આરોપીઓમાં એનટીએના ભૂતપૂર્વ અધ્યક્ષ દિગંબર ઝા, ધનરાજ જ્ઞવાલી, ટીકા પ્રસાદ ઉપ્રેતી, સુરેન્દ્ર લાલ હાડા, દિપેશ આચાર્ય, સંદીપ અધિકારી, અચ્યુતાનંદ મિશ્રા, વિજય કુમાર રાયા, પુરુષોત્તમ પ્રસાદ ખનાલ, રેવતી રામ પંથ, સુરેશ બસ્નેત, હિરણ્ય પ્રસાદ, ગુરુ પ્રસાદ કુમાર, બે ખાનગી કંપનીઓ અને બે ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ