જીકાસ પોર્ટલની ખામીઓ અંગેए એનએસયુઆઈનું આવેદનપત્ર
પાટણ, 30 જૂન (હિ.સ.)એનએસયુઆઈ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના કુલપતિને આવેદનપત્ર આપીને જીકાસ પોર્ટલ દ્વારા થતી સ્નાતક પ્રવેશ પ્રક્રિયામાં રહેલી ખામીઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એનએસયુઆઈએ જણાવ્યું હતું કે, જીકાસ પોર્ટલ દ્વા
જીકાસ પોર્ટલની ખામીઓ અંગે એનએસયુઆઈનું આવેદનપત્ર


પાટણ, 30 જૂન (હિ.સ.)એનએસયુઆઈ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના કુલપતિને આવેદનપત્ર આપીને જીકાસ પોર્ટલ દ્વારા થતી સ્નાતક પ્રવેશ પ્રક્રિયામાં રહેલી ખામીઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એનએસયુઆઈએ જણાવ્યું હતું કે, જીકાસ પોર્ટલ દ્વારા થતી પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ જોવા મળી રહી છે, જેમાં વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી અને ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થી સંગઠને દાવો કર્યો કેए પ્રવેશ પ્રક્રિયા કમ્પ્યુટરાઈઝ્ડ અને પારદર્શક હોવાનો દાવો હોવા છતાં મેરિટ લિસ્ટમાં સ્પષ્ટ અનિયમિતતાઓ જોવા મળી રહી છે. આ કારણે અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે અને તેમના અભ્યાસ પર નકારાત્મક અસર થઈ રહી છે.

એનએસયુઆઈએ વધુમાં જણાવ્યું કેए ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા સમયસપ્ત અને સચોટ રીતે પૂર્ણ થતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ આવે છે. તેમણે યુનિવર્સિટીની પાસે માંગણી કરી છે કે તે જીકાસ પોર્ટલ પાસેથી ડેટા મેળવી વિદ્યાર્થીઓના હિતમાં સમયસર ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande