પોરબંદર, 4 જૂન (હિ.સ.)
પોરબંદર જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા ઔદ્યોગિક એકમોમાં પ્લાસ્ટિક વિસર્જન અને સલામત રિસાયક્લિંગ પદ્ધતિઓ વિષય પર જી.આઈ.ડી.સી
વનાણા પોરબંદર ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદરના ઇન્ચાર્જ મેનેજર આર.એમ સુશ્રી વી.એ.પટેલે પ્લાસ્ટિક વિસર્જન પછીનું પ્લાસ્ટિક કચરો યોગ્ય રીતે દૂર કરવાની પ્રક્રિયા અને પ્લાસ્ટિક વિસર્જન યોગ્ય રીતે ન કરવાથી પર્યાવરણમાં ભારે પ્રદૂષણથી જમીન, પાણી અને હવામાં ટેક્સનિક અને હાનિકારક પ્રભાવ પેદા કરે તેના વિષે ઉદ્યોગકારો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં તેમણે પ્લાસ્ટિક વિસર્જનની રીતો જેવી કે, લેન્ડફિલ,બર્નિંગ,પ્લાસ્ટિક વિઘટન અને સલામત રિસાયક્લિંગ પદ્ધતિઓ મેકેનિકલ રિસાયક્લિંગ,કેમિકલ રિસાયક્લિંગ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya