પાકિસ્તાન વિરુદ્ધ દુનિયાભરનો પ્રવાસ કરીને અભિષેક સ્વદેશ પરત ફર્યા, વિદેશ મંત્રીની બેઠકથી દૂર રહ્યા
કોલકતા, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સાંસદ અભિષેક બેનર્જી, પાકિસ્તાન વિરુદ્ધ શ્રેણીબદ્ધ વિદેશી પ્રવાસ પૂર્ણ કરીને રાત્રે સ્વદેશ પરત ફર્યા. ભારતે સાત પ્રતિનિધિમંડળો મોકલ્યા હતા. તેનો હેતુ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની વૈશ્વિક સ્થિ
અભિષેક બેનર્જી


કોલકતા, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સાંસદ અભિષેક બેનર્જી, પાકિસ્તાન વિરુદ્ધ શ્રેણીબદ્ધ વિદેશી પ્રવાસ પૂર્ણ કરીને રાત્રે સ્વદેશ પરત ફર્યા. ભારતે સાત પ્રતિનિધિમંડળો મોકલ્યા હતા. તેનો હેતુ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની વૈશ્વિક સ્થિતિ મજબૂત રાખવાનો હતો. અભિષેક બેનર્જી પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને મલેશિયાની મુલાકાત લીધી હતી.

અભિષેક મંગળવારે રાત્રે લગભગ 12:15 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા. તેમણે મીડિયાને જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં તેમણે ભારતનો સંદેશ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ્યથી પાંચ દેશોની મુલાકાત લીધી. આ દરમિયાન આતંકવાદ અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ મંત્રી એસ. જયશંકર, બુધવારે આ પ્રતિનિધિમંડળના તમામ સભ્યો સાથે મુલાકાત કરવાના છે. અભિષેકે પૂર્વનિર્ધારિત કાર્યક્રમોનો હવાલો આપીને આ બેઠકમાં હાજરી ન આપવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલયને આ અંગે જાણ કરવામાં આવી છે. તેઓ સરકારને લેખિતમાં પોતાનો અભિપ્રાય મોકલશે.

ઉલ્લેખનીય છે કે, 'ઓપરેશન સિંદૂર' અને ભારત-પાકિસ્તાન સંઘર્ષ પછી, કેન્દ્રએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે વિપક્ષી પક્ષોના પ્રતિનિધિઓને મોકલ્યા હતા. શરૂઆતમાં, કેન્દ્ર સરકારે સાંસદ યુસુફ પઠાણનું નામ મોકલ્યું હતું, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ તેનો વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કોણ જશે તે પાર્ટી પોતે નક્કી કરશે. આ પછી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ, મમતા બેનર્જીનો સંપર્ક કર્યો અને તેમને તેમના દ્વારા પ્રસ્તાવિત નામ મોકલવા વિનંતી કરી. તૃણમૂલ કોંગ્રેસે યુસુફ પઠાણની જગ્યાએ અભિષેક બેનર્જીનું નામ મોકલ્યું.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande